Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
- Visit Website
- RSS
- Artist: Paurav Shukla
- Copyright: Paurav Shukla
Podcasts:
ચિત્રકેતુ ને પુત્ર શોકમાં વ્યાકુળ થયેલો જોઇને અંગિરા ઋષિ અને દેવર્ષિ નારદજી ખૂબ જ સુંદર ઉકતીઓથી ઉપદેશ આપે છે. તેઓ તેને આત્મા અને શરીર વચ્ચેના ભેદની ભાવના સમજાવે છે. આ સાંભળીને ચિત્રકેતુના મનમાંથી મોહ દૂર થાય છે અને આગળ જતાં તે વિદ્યાધર રોના અધિપતિ બને છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
જ્યારે રાજા પરીક્ષિતને જાણ થાય છે કે વૃત્રાસુર ને પણ ભગવાન વિષ્ણુના ચરણોનો પ્રાપ્તિ થઈ છે ત્યારે તે શુકદેવજીને પ્રશ્ન કરે છે કે આવું કેમ શક્ય બન્યું. આ અધ્યાયમાં આપણે વૃત્રાસુરના પૂર્વ ચરિત્ર કે જ્યારે તે રાજા ચિત્રકેતુ હતો તેની વાત સાંભળીશું. રાજા ચિત્રકેતુ ને પુત્ર પ્રાપ્તિની ખૂબ ખેવના હતી. અંગિરા ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થઈ ત્યારે રાજા ચિત્રકેતુની મનગમતી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. બીજી રાણીઓએ ઈર્ષા વશ થઈને તે પુત્રને ઝેર આપી અને મારી નાખ્યો. આ જોઈ અને રાજા ચિત્રકેતુ અને તેમના પત્ની મોહ માયાથી જકડાયેલા હોવાને કારણે ખૂબ જ દુખી થઈ ગયા અને તેમના સ્વજનો પણ તેમના શોક ને જોઈને દુઃખી થઈ ગયા. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ભગવાન ઈન્દ્રએ વૃત્રાસુરનો વધતો કરી નાખ્યો પણ તેની સાથે તેમને બ્રહ્મહત્યાનું પાપ પણ લાગયુ છે. આ પાપ તેમને સતત ગ્રસી રહ્યું છે. તેનાથી પીડિત થઈને ઇન્દ્ર પોતે માન સરોવર પાસે કમળ ના જંગલમાં સંતાઈ જાય છે. અને આમ તેઓ એક હજાર વર્ષ સુધી ત્યાં સંતાયેલા રહે છે. એમની અંદર રહેલી અપરાધની ભાવના તેમને ખૂબ સતાવી રહી છે. ત્યારબાદ હજાર વર્ષ પૂર્વ દેવી લક્ષ્મી અને ભગવાન રુદ્રના આશ્રયમાં રહીને ઇન્દ્ર પાછા બહાર આવે છે. બ્રાહ્મણો સાથે અશ્વમેઘ યજ્ઞ કરીને પોતાનું સ્વર્ગનુ સ્થાન પ્રાપ્ત કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
મહાપરાક્રમી વૃત્રાસુર ઇન્દ્ર જોડે ખૂબ વીરતાથી યુદ્ધ કરે છે. જ્યારે ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી જાય છે ત્યારે વૃત્રાસુર તેમનો વધ કરવાની જગ્યાએ તેમને વીરના લક્ષણો સમજાવતા ઉપદેશ આપે છે અને ફરી પાછા યુદ્ધ માટે લલકારે છે. જ્યારે ઇન્દ્ર તેના બંને હાથ છેદી નાખે છે ત્યારે વૃત્રાસુર પોતાના વિશાળ મુખથી ઇન્દ્રને તેમના વજ્ર સાથે ગળી જાય છે. નારાયણ કવચથી સુરક્ષિત ઇન્દ્ર વૃત્રાસુર ના પેટમાં પહોંચીને વજ્રથી તેના પેટ ને ચીરી અને બહાર આવે છે અને આ રીતે વૃત્રાસુર નો અંત કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
જ્યારે વૃત્રાસુરે જોયું કે તેની સેના વજ્રના ભયથી ચારે તરફ ભાગી રહી છે ત્યારે તેણે ઈન્દ્રની સામે જઈ અને યુદ્ધ નો લલકાર કર્યો. ઇન્દ્રએ વૃત્રાસુર પર ગદાનો પ્રહાર કર્યો ત્યારે તેણે એક ગદાને રોકી અને એ જ ગદા દ્વારા ઇન્દ્રના હાથી ઐરાવત પર વાર કર્યો. ઐરાવત મૂર્છિત થઈ ગયો અને ઇન્દ્ર પોતે ભાન ગુમાવી બેઠા ત્યારે વૃત્રાસુરે એક શુરવીર ની જેમ તેમના પર કોઈ પણ પ્રકારનો પ્રહાર કર્યો નહીં. ઇન્દ્ર જ્યારે ફરીવાર ભાનમાં આવ્યા અને ઐરાવત પર સવાર થયા અને યુદ્ધ કરવા લાગ્યા. આ યુદ્ધમાં વૃત્રાસુર વીરગતિને પ્રાપ્ત થયો. પોતે મૃત્યુની નજીક છે આવી જાણ થતાં વૃત્રાસુરે ભગવાનની ખુબ સુંદર સ્તુતિ કરી અને ભગવદ્ ભક્તિ પ્રાપ્ત કરી. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
શ્રી હરિના જણાવ્યા મુજબ દેવતાઓએ દધીચિ ઋષિ પાસે જઈ અને તેમના અસ્થિઓની માંગ કરી. દધીચિ ઋષિએ તેમની પાસે સુંદર તર્ક ની માંગ કરી. ત્યારબાદ પોતાનો દેહત્યાગ કરી અસ્થિઓ દેવતાઓને સમર્પણ કર્યા. દેવતાઓએ આ અસ્થિઓમાંથી વિશ્વકર્માની મદદથી વજ્રનું નિર્માણ કર્યું અને ત્યારબાદ તેમણે વૃત્રાસુર ની સેના પર આક્રમણ કરી દીધું. વજ્રના પ્રભાવથી અસુર સેના તહસ-નહસ થઈ ગઈ અને ચારે તરફ ભાગવા લાગી. તે સમયે વૃત્રાસુરે પોતાની સેનાને શૂરવીર માટે ઉત્તમ એવા મૃત્યુની ગતિ સમજાવી . --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
દેવરાજ ઇન્દ્રને જાણ થઈ કે તેમના નવા ગુરુ વિશ્વરૂપ એ અસુરોને પણ મદદ કરી રહ્યા છે. આ જાણ થતાં તેમણે વિશ્વરૂપ ના ત્રણે શિર છેદી નાખ્યા અને એના વધને ચાર ભાગમાં પૃથ્વી જળ વૃક્ષો અને સ્ત્રીઓને આપ્યા. વિશ્વરૂપના પિતાને આ જાણ થતાં તેમણે ઇન્દ્રનો શત્રુને પેદા કરવા માટે હવન કર્યો જેમાંથી વૃત્રાસુર નામનો અસુર પેદા થયો. વૃત્રાસુરે દેવો પર આક્રમણ કરી દીધું અને દેવો ભયભીત થઈને શ્રી હરિ વિષ્ણુ પાસે આના ઉપાય માટે આવ્યા. શ્રી હરિહરે સુંદર ઉપદેશ આપીને સમજાવ્યું કે આ તેમના જ પોતાના કર્મોનો ફળ છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે દેવો દધીચિ ઋષિ પાસે જાય અને તેમના અંગમાંથી એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવે જે વૃત્રાસુર ના વધમાં મદદ કરશે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
દેવરાજ ઇન્દ્ર જ્યારે અસરો સામે લડાઈ કરવા માટે તૈયાર થયા ત્યારે વિશ્વરૂપએ ગુરુ તરીકે તેમને નારાયણ કવચ નો ઉપદેશ આપ્યો. આ અધ્યાયમાં આપણે ખૂબ જ સુંદર એવું નારાયણ કવચ અને એના વિસ્તાર વિશે સાંભળ્યું સાંભળીશું. આ કવચના નેજા હેઠળ ઇન્દ્ર અસુરો પર વિજયી થયા. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
દેવરાજ ઇન્દ્રને પોતાની સભા અને શક્તિ પ્રત્યે ખૂબ ગર્વ જાગી ગયો હતો. એકવાર તેમના ગુરૂ બૃહસ્પતિ જ્યારે સભામાં આવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર ઉભા પણ ન થયા અને એમનો કોઈ સત્કાર ન કર્યો. આ જોતા બૃહસ્પતિજીએ ઈન્દ્રની સભાનો ત્યાગ કર્યો અને ગુરુ ન હોવાને કારણે તેમની સભામાંથી જ્ઞાન નો વિલોપ થયો. આની જાણ થતા અસુરોએ દેવો પર આક્રમણ કરી દીધું અને સ્વર્ગ પોતાનો કબજો જમાવી દીધો. દેવતાઓએ આ કારણસર બ્રહ્માજી પાસે ગયા અને તેમની પાસે આ દુર્ગમતાનો ઉપાયો માંગ્યો. બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે તેઓ અસુર પુરોહિત એવા વિશ્વરૂપ પાસે જાય અને એમની આચાર્ય તરીકે વરણી કરે. દેવોએ પોતાના તર્કથી વિશ્વરૂપ ને મનાવી લીધા અને વિશ્વરૂપ ના જ્ઞાનકુંભથી તેઓ અસુરોની સામે વિજય મેળવી શક્યા. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે દક્ષ પ્રજાપતિ અને એમની સાઠ પુત્રીઓનું વર્ણન સાંભળીશું. આપણે એમના વંશવેલા ની પણ વાત કરીશું જે આપણને નવા કથાનક તરફ લઇ જશે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
પોતાના વંશની વૃદ્ધિ માટે દક્ષ પ્રજાપતિએ હયાશ્વ નામના દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા અને તેમને સંતાન પ્રાપ્તિ માટે તપ કરવા નારાયણ સરોવર મોકલ્યા. ત્યાં એમને નારદજી મળ્યા અને નારદજીના ઉપદેશ પ્રમાણે તે બધા ભાગવત ધર્મમાં રચ્યાપચ્યા રહ્યા અને સંતાન પ્રાપ્તિ તરફ ધ્યાન ન આપ્યું. દક્ષ પ્રજાપતિને જ્યારે જાણ થઈ કે નારદજીના ઉપદેશના કારણે તેમના પુત્રો હવે સંતાનપ્રાપ્તિમાં રસ ધરાવતા નથી ત્યારે ખૂબ શોકીત થયા. દક્ષ પ્રજાપતિએ ત્યારે બીજા દસ હજાર પુત્રો જેમના નામ શબલાંશ્ચ હતા તેમને જન્મ આપ્યો. તેઓ પણ સંતાન પ્રાપ્તિ માટે નારાયણ સરોવર પાસે તપ કરવા માટે ગયા અને નારદજીએ તેમને ઉપદેશ આપતા તેઓ પણ ભગવદભક્તિમાં જોડાઈ ગયા. આ જાણીને દક્ષ પ્રજાપતિને ખૂબ ગુસ્સો આવ્યો અને જ્યારે નારદજીને મળ્યા ત્યારે તેમણે નારદજીને શ્રાપ આપ્યો. સંત શિરોમણી નારદજીએ આ શ્રાપ સ્વીકાર પણ કરી લીધો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
રાજા પરીક્ષિત શ્રી શુકદેવજીને પ્રશ્ન કરે છે કે આ સૃષ્ટિના સર્જન ના અને વિકાસની વાત માંડીને કરો. તેના જવાબમાં, શુકદેવજી આપણને પાછા રાજા પ્રાચીનબ્રૂહિ , તેમના પુત્ર પ્રચેતાઓ, અને તેમના પુત્ર દક્ષ ની વાત તરફ લઇ જાય છે. દક્ષ પ્રજાપતિ પ્રજાની વૃદ્ધિ કરવા માટે પૃથ્વી પર પ્રજાની વૃદ્ધિ કરવા માટે તપ કરવા લાગે છે ત્યારે તે શ્રી હરિની એક ખૂબ સુંદર સ્તુતિ કરે છે. શ્રી હરિ તેના પર પ્રસન્ન થાય છે અને દક્ષ પ્રજાપતિને પંચજન પ્રજાપતિની પુત્રી સાથે લગ્નની આજ્ઞા આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
યમદૂતો અજામિલ નો પ્રાણ લીધા વિના જ યમરાજ પાસે પાછા જાય છે અને યમરાજ પાસે શંકાના નિવારણ માટે માંગણી કરે છે કે શું આપના થી પણ કોઈ પર છે. તેના જવાબમાં યમરાજ તેમને શ્રી હરિ અને તેમના લોકની સમજણ આપે છે. યમરાજ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે અને જણાવે છે કે માત્ર ૧૨ વ્યક્તિઓ જ ભાગવત ધર્મનું રહસ્ય સમજી શકે છે. યમરાજના મુખેથી શ્રી હરિ ની સ્તુતિ સાંભળી ને યમદૂતોને શંકા નો નાશ થાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
યમદૂતો ની વાત સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુના પાર્ષદ એ દૂતોને ધર્મ અને ભગવાન ના નામસ્મરણમાં રહેલી શક્તિ સમજાવે છે. શાસ્ત્રો અને વેદોનું સ્મરણ કરાવીને તે પાર્ષદો, યમદૂતોને અજામિલ ના પ્રાણ લીધા વિના જ પાછા યમરાજ પાસે મોકલે છે. અજામિલ નો આત્મા આ ઘટનાને નિહાળી ને પોતે મનુષ્ય જન્મમાં રહીને કરેલી ખોટા કર્મોની વાતોને યાદ કરે છે અને નારાયણનું નામ લેતા પ્રાયશ્ચિત કરે છે. એને પ્રાયશ્ચિત કરતો જોઈ ભગવાનના પાર્ષદો એને વૈકુંઠલોક લઈ જાય છે --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
છઠ્ઠા સ્કંધના પ્રથમ અધ્યાયમાં રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરે છે કે એવા કયા અનુષ્ઠાન મનુષ્ય જાતિ એ કરવા જોઇએ જેથી તેને ભયંકર યાતનાઓપૂર્ણ નરકમાં જવું પડે નહીં. તેના જવાબમાં શુકદેવજી ખૂબ સુંદર રીતે ધર્મ અને તત્વજ્ઞાન નું વિશ્લેષણ કરે છે. ત્યારબાદ તેઓ અજામિલ નામના એક બ્રાહ્મણ નું આખ્યાન રાજા પરીક્ષિતને સંભળાવે છે. અજામિલ એક વિદ્વાન બ્રાહ્મણ છે જે ખોટા રસ્તે ચડી ચૂક્યા છે. તેમના સૌથી નાના પુત્ર નું નામ નારાયણ છે અને જ્યારે યમદૂતો તેમને લેવા માટે આવે છે ત્યારે તે પુત્ર મોહ માં નારાયણ એમ બોલે છે અને તે સાંભળતા ભગવાન વિષ્ણુના પાર્ષદો ત્યાં આવી અને યમદૂતોને અજામિલ નો પ્રાણ ન લઈ જવા માટે કહે છે. યમના દૂતો એ સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદોને અજામિલ નું વૃતાંત કહી સંભળાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message