Skip to main content
Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

By Paurav Shukla

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality.

This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
Available on
Apple Podcasts Logo
Castbox Logo
Google Podcasts Logo
Pocket Casts Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

Devi bhagvat - Skandh 1 - Adhyay 12

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi BhagvatApr 14, 2024

00:00
25:09
Devi bhagvat - Skandh 1 - Adhyay 12

Devi bhagvat - Skandh 1 - Adhyay 12

આ અધ્યાયમાં આપણે ઇલા જે એક ઇમ્પોર્ટેંટ કથાનક છે દેવી ભાગવતનું તેની અને બુધના પ્રેમ અને તેમના બાળક પુરુરવા વિશેની વાત સાંભળીશું.

Apr 14, 202425:09
Devi bhagvat - Skandh 1 - Adhyay 11

Devi bhagvat - Skandh 1 - Adhyay 11

આ અધ્યાયમાં આપણે ગુરુ બૃહસ્પતિની પત્ની તારા અને ચંદ્ર વચ્ચે થયેલા પ્રેમના લીધે, ગુરુ બૃહસ્પતિ અને ચંદ્રની વચ્ચે થયેલી લડાઈ અને તેના નિરાકરણની વાત સાંભળીશું. આ ઘટના આપણને બુધના જન્મ તરફ લઇ જશે. આપણે આ યુદ્ધની પાછળ રહેલી મર્મ ની વાત જાણીશું.

Apr 07, 202436:20
Devi bhagvat - Skandh 1 - Adhyay 10

Devi bhagvat - Skandh 1 - Adhyay 10

પુત્ર કામનાથી વ્યાસજી વ્યાકુળ થયા છે.અને એ સમયે તેમણે શિવા અને શિવની આરાધના કરી. એમના તપથી પ્રસન્ન થઈ શિવજીએ એમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યુ. ત્યારબાદ વ્યાસજી પોતે પોતાના આશ્રમમાં આવે છે અને ત્યાં એક અપ્સરાને જોવે છે. પણ અપ્સરાને જોઇને તેમના મનમાં એવો ભાવ થાય છે કે આના દ્વારા મને ગૃહસ્થાશ્રમની પ્રાપ્તિ થશે તો બીજા શું કેહ્શે.

Mar 31, 202428:51
Devi bhagvat - Skandh 1 - Adhyay 9

Devi bhagvat - Skandh 1 - Adhyay 9

આ અધ્યાયમાં આપણે ભગવાન વિષ્ણુએ મધુ કૈટભનો વધ કેવી રીતે

કર્યો તેના વિષે સાંભળીશું.

Mar 24, 202430:30
Devi bhagvat - Skandh 1 - Adhyay 8

Devi bhagvat - Skandh 1 - Adhyay 8

ઋષિઓએ પ્રશ્ન કર્યો કે, શ્રીવિષ્ણુ ,શિવજી અને બ્રહ્માજી કરતા પણ શક્તિ કેમ વધારે ઉપાસના લાયક છે. એના જવાબમાં સુતજી આપણને શક્તિનું મહાતમ્ય સમજાવે છે.

Mar 17, 202428:30
Devi bhagvat - Skandh 1 - Adhyay 7

Devi bhagvat - Skandh 1 - Adhyay 7

આ અધ્યાયમાં આપણે બ્રહ્માજીએ કરેલી ભગવાન વિષ્ણુ અને મહાદેવીની અદ્ભુત સ્તુતિ સાંભળીશું. મધુકૈટભના ત્રાસથી બ્રહ્માજી વિષ્ણુભગવાન પાસે આવ્યા છે અને એમને નિદ્રાધીન થયેલા જોઈને, તેઓ મહાદેવીની સુંદર સ્તુતિ કરે છે.

Mar 10, 202427:03
Devi bhagvat - Skandh 1 - Adhyay 6

Devi bhagvat - Skandh 1 - Adhyay 6

આજના અધ્યાયમાં આપણે જીવની ઉત્પત્તિ વિશે વ્યાસજીએ કરેલ મર્મ ની વાત જાણીશું. એની સાથે આપણે મધુકૈટભના યુદ્ધની પૂર્વ ભૂમિકા વિશે જાણીશું.

Mar 03, 202439:35
Devi bhagvat - Skandh 1 - Adhyay 5

Devi bhagvat - Skandh 1 - Adhyay 5

આજના અધ્યાયમાં આપણે ભગવતીની બહુ સુંદર સ્તુતિ સાંભળવાની છે. એની સાથે આપણે ભગવાન વિષ્ણુએ હયગ્રીવ રૂપ કેમ ધારણ કર્યું તેની કથા જાણીશું.

Feb 25, 202453:02
Devi bhagvat - Skandh 1 - Adhyay 4

Devi bhagvat - Skandh 1 - Adhyay 4

આ અધ્યાયમાં આપણે વ્યાસજીએ ચાતક પક્ષીના બાળ પ્રેમમાં પોતાનું પુત્ર સુખ જોવાનો પ્રયત્ન કર્યો છે તેના વિશે જાણીશું. આપણે દેવીની સર્વોત્તમતાની કથા વિશે વિષ્ણુ ભગવાને કરેલી વાર્તા સાંભળીશું.

Feb 18, 202433:17
Devi bhagvat - Skandh 1 - Adhyay 3

Devi bhagvat - Skandh 1 - Adhyay 3

અધ્યાયમાં આપણે પુરાણ, ઉપપુરાણો, અને વ્યાસ વિશેની માહિતી મેળવીશુ. સુતજી આપણને સાચા દેવી ભાગવતના શ્રોતા કેમ થવું તેના વિષે માહિતી આપે છે.

Feb 11, 202423:47
Devi bhagvat - Skandh 1 - Adhyay 2

Devi bhagvat - Skandh 1 - Adhyay 2

આજના અધ્યાયમાં આપણે દેવીની સુંદર સ્તુતિ કર્યાં બાદ, આપણે પુરાણોના લક્ષણ વિષે સાંભળશું . આપણે બિગ બેંગ થેઓરી જે physics માં ખુબ જાણીતી છે તેના વિષે પણ વાત કરશું.

Feb 04, 202424:44
Devi bhagvat - Skandh 1 - Adhyay 1

Devi bhagvat - Skandh 1 - Adhyay 1

આજના અધ્યાયમાં આપણે દેવી ભાગવત્ પુરાણનું શ્રવણ કેમ કરવું એના વિષે ચર્ચા કરવી છે.શૌનકજી અને સુતજી વચ્ચેનો સંવાદ પણ આપણે સાંભળીશું. આપણે જ્ઞાનની ઉપાસના કેમ કરવી એના વિષે પણ વાત કરિશુ.

Jan 28, 202431:25
Devi bhagvat - Mahatmya Adhyay 4

Devi bhagvat - Mahatmya Adhyay 4

આજના અધ્યાયમાં આપણે કુપુત્ર કેવી રીતે વંશનું અહિત કરે છે તેના વિષે જાણીશું. આપણે રેવતીના ઉદ્યભવ અને તેના દુદર્મ સાથે લગ્ન અને તેમના પુત્ર રેવતની કે જે પાંચમા મનુ છે તેમના વિશેની વાત કરશું.

Jan 21, 202435:51
Devi bhagvat - Mahatmya Adhyay 3

Devi bhagvat - Mahatmya Adhyay 3

આજના અધ્યાયમાં આપણે હિંદુ શાસ્ત્રના એક બહુજ ઇમ્પોર્ટન્ટ પાત્ર ઇલા (સ્ત્રી સ્વરૂપ) અને સુદ્યુમ્ન (પુરુષ સ્વરૂપ) વિષે વાત કરીશું. આપણે આ પાત્ર દ્વારા સૂર્યવંશી અને ચંદ્રવંશી વચ્ચે કેવા પ્રકારની લિંક છે તેના વિશે જાણીશું.

Jan 14, 202430:31
Devi bhagvat - Mahatmya Adhyay 1

Devi bhagvat - Mahatmya Adhyay 1

આ અધ્યાયથી દેવી ભાગવતની શરૂઆત કરીએ છીએ. દેવી ભાગવતને કેમ મહાપુરાણ ગણવું જોઈએ તેની પર પણ ચર્ચા કરીએ છીએ.

Jan 13, 202429:05
Devi bhagvat - Mahatmya Adhyay 2

Devi bhagvat - Mahatmya Adhyay 2

આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ, સ્યમંતક મણિ, જામ્બવન અને શ્રી કૃષ્ણના યુદ્ધની વાત કરવી છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિ શ્રદ્ધા અને નિષ્ઠાની પણ વાત કરશું.

Jan 07, 202432:27
Rishi Panchami - Marm ni Vaat - English

Rishi Panchami - Marm ni Vaat - English

Rishi Panchami, dedicated to all the sages in Hinduism, is an important day to reflect on our journey as humans on this Earth. In this unique podcast conversation, Professor Dr. Phani Tej Adidam (USA) and I explore important questions around What is Rishi Panchami? Who is a Rishi? And more spiritual questions surrounding Rishi Tatva?
Sep 20, 202331:47
Gopi geet - Bhagvat Puran - in English

Gopi geet - Bhagvat Puran - in English

This is a unique exploration of Gopi geet in English wherein I discuss the emotional drivers to Gopi geet. This 90 minute pravachan was delivered on 20th August 2023 at the Coulsdon temple, London, UK.

Aug 26, 202301:37:48
Bhagvat Puran Mahatamya Adhyay 4

Bhagvat Puran Mahatamya Adhyay 4

શ્રીમદ્ ભાગવતના આ છેલ્લા અધ્યાયમાં આપણે ભાગવતનું સ્વરૂપ, પ્રમાણ, શ્રોતા અને વક્તા ના લક્ષણો, તેની શ્રવણવિધિ અને મહાત્મ્યની કેટલીક વાતો કરીશું. જય શ્રી કૃષ્ણ.

Nov 21, 202121:50
Bhagvat Puran Mahatamya Adhyay 3

Bhagvat Puran Mahatamya Adhyay 3

આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની પરંપરા અને તેનું મહત્વ, તથા ઉદ્ધવજીએ બૃહસ્પતિજી પાસેથી સાંભળેલી ભાગવત શ્રવણ ની વાર્તા કરીશું. ભાગવતજી ના શ્રવણથી શ્રોતાઓને ભગવતધામ ની પ્રાપ્તિ થાય છે તેના વિષયે પણ આપણે આજે જાણીશું.

Nov 20, 202128:19
Bhagvat Puran Mahatamya Adhyay 2

Bhagvat Puran Mahatamya Adhyay 2

આજના અધ્યાયમાં આપણે યમુનાજી અને શ્રી કૃષ્ણ પત્નીઓનો સંવાદ, અને યમુનાજી દ્વારા દર્શાવેલા શ્રી કૃષ્ણ ના કીર્તન ઉત્સવમાં ઉદ્ધવજી ના પ્રગટ થવાની વાત સાંભળીશું.

Oct 23, 202118:02
Bhagvat Puran Mahatmya Adhyay 1

Bhagvat Puran Mahatmya Adhyay 1

આજે આપણે ભાગવત પુરાણના મહાત્મ્ય નો પ્રથમ અધ્યાય સાંભળીશું, જેમાં પરીક્ષિત અને વજ્રનાભના મિલન, શાંડિલ્ય મુનિના મુખેથી ભગવાનની લીલાના રહસ્યનું અને વ્રજભૂમિના મહત્વનું વર્ણન સાંભળીશું.

Oct 22, 202119:47
Bhagvat Puran Skandh 12 Adhyay 13

Bhagvat Puran Skandh 12 Adhyay 13

ભાગવત પુરાણના છેલ્લા અધ્યાયમાં આપણે વિભિન્ન પુરાણોની શ્લોકસંખ્યા અને શ્રીમદ ભાગવત નો મહિમા કેમ અનુપમ છે તેના વિશે સાંભળીશું.

Oct 21, 202114:46
Bhagvat Puran Skandh 12 Adhyay 12

Bhagvat Puran Skandh 12 Adhyay 12

આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની સંક્ષિપ્ત વિષય સૂચિ સાંભળીશું. તેના દ્વારા સુતજી આપણને સંપૂર્ણ ભાગવત નો મહિમા સંક્ષેપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે.

Oct 20, 202126:44
Bhagvat Puran Skandh 12 Adhyay 11

Bhagvat Puran Skandh 12 Adhyay 11

આજના અધ્યાયમાં આપણે ભગવાન ના અંગો, ઉપાંગો, અને આયુધો નું રહસ્ય સાંભળીશું. આ ઉપરાંત શૌનકજી  દ્વારા કરાયેલા પ્રશ્નના જવાબમાં, સુતજીએ કરેલું વિભિન્ન સૂર્યગણોનું  વર્ણન પણ સાંભળીશું.

Oct 19, 202123:51
Bhagvat Puran Skandh 12 Adhyay 10

Bhagvat Puran Skandh 12 Adhyay 10

માર્કેન્ડય ઋષિ  પોતાના આશ્રમ પાસે ભગવાનના શરણાગત ભાવમાં તન્મય થઈ ગયા છે ત્યારે આકાશ માર્ગેથી વિચરણ કરતા ભગવાન શંકર, પાર્વતીજી, અને તેમના ગણ ત્યાં પધારે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને વરદાન માગવા કહે છે અને માર્કેન્ડય ઋષિ  ભગવાન પાસેથી તે ભગવાનના ચરણોમાં સ્થાપિત રહી શકે એવું  વરદાન માંગે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને જણાવે છે કે તેઓ પોતાના ભક્તોને હૃદયમાં અને શિરોધાર કરે છે. 

Oct 18, 202121:41
Bhagvat Puran Skandh 12 Adhyay 9

Bhagvat Puran Skandh 12 Adhyay 9

ભગવાન નર-નારાયણ માર્કેન્ડય ઋષિ ને વરદાન માંગવા માટે આજ્ઞા કરે છે અને માર્કેન્ડય ઋષિ તેમની પાસે ભગવાનની માયા જોવા માટે ઈચ્છા કરે છે. થોડા સમય બાદ માર્કેન્ડય ઋષિ પ્રલયકાળમાં ફસાઈ જાય છે અને ત્યાં તેમને ભગવાનના બાલમુકુંદ સ્વરૂપનું દર્શન થાય છે. ભગવાનની આ અદભુત માયા ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

Oct 17, 202122:50
Bhagvat Puran Skandh 12 Adhyay 8

Bhagvat Puran Skandh 12 Adhyay 8

આજના અધ્યાયમાં આપણે માર્કેન્ડય ઋષિ ની કથા, અને ભગવાનના નર નારાયણ સ્વરૂપ માં તેમની સામે પ્રગટ થવાની વાત, તથા માર્કેન્ડય ઋષિએ કરેલી ભગવાન નર-નારાયણ ખૂબ ઉમદા સ્તુતિ સાંભળીશું.  

Oct 16, 202125:30
Bhagvat Puran Skandh 12 Adhyay 7

Bhagvat Puran Skandh 12 Adhyay 7

આજના અધ્યાયમાં આપણે અથર્વવેદ ની શાખાઓ અને પુરાણોના 10 લક્ષણો વિષે વિસ્તારથી સાંભળીશું.

Oct 15, 202119:39
Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 2

Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 2

શૌનકજીના પ્રશ્નના જવાબમાં, સુતજી, વ્યાસજી દ્વારા વેદોનું વિભાજન કેવી રીતે થયું તેના વિશે આપણને આ અધ્યાયમાં વ્યાખ્યાન કરે છે.

Oct 14, 202123:19
Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 1

Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 1

એવા સમાચાર સાંભળતા કે તક્ષક નાગે  રાજા પરીક્ષિતને ડસી લીધા છે, પરીક્ષિતનો પુત્ર જન્મેજયખૂબ ઉગ્ર થઈ જાય છે. એ એવા પ્રકારના યજ્ઞનું આયોજન કરે છે કે જેમાં સાપો પોતાની જાતે જ આવીને હોમાઈ જાય. તક્ષક નાગને આ વાતની જાણ થતા તે ઇન્દ્રના રક્ષણમાં જાય છે, અને જ્યારે જન્મેજય ઈન્દ્ર અને તક્ષક બંનેને હોમવા માટે નો યજ્ઞ કરે છે, ત્યારે બૃહસ્પતિજી આવીને જન્મેજયને મૃત્યુના નિમિત્ત વિષયની વાત સમજાવે છે.

Oct 13, 202119:54
Bhagvat Puran Skandh 12 Adhyay 5

Bhagvat Puran Skandh 12 Adhyay 5

આજના અધ્યાયમાં આપણે શ્રી શુકદેવજી નો અંતિમ ઉપદેશ સાંભળીશું. આ ઉપદેશમાં શ્રી શુકદેવજી આત્માના અજર અને અમર હોવાની વાત પરીક્ષિતને સમજાવે છે.

Oct 12, 202116:54
Bhagvat Puran Skandh 12 Adhyay 4

Bhagvat Puran Skandh 12 Adhyay 4

આજના અધ્યાયમાં આપણે ચાર પ્રકારના પ્રલય વિશે સાંભળીશું.  શુકદેવજી આપણને આપણી પોતાની કુંઠિંતતાનો બાધ કરાવે છે.

Oct 11, 202126:16
Bhagvat Puran Skandh 12 Adhyay 3

Bhagvat Puran Skandh 12 Adhyay 3

આજના અધ્યાયમાં આપણે શુકદેવજી દ્વારા આપણી અંદર રહેલા મોહ અને અભિમાનને ચકનાચૂર કરી દેનારા કાળ વિશેનું વર્ણન સાંભળીશું. આપણે સતયુગમાં, દ્વાપરયુગમાં, ત્રેતાયુગમાં, અને કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકાય તેના વિશે પણ જાણીશું અને નામસંકીર્તન નો મહિમા સમજીશું.

Oct 10, 202127:03
Bhagvat Puran Skandh 12 Adhyay 2

Bhagvat Puran Skandh 12 Adhyay 2

આજના અધ્યાયમાં આપણે કળિયુગના ધર્મ અને કેવી રીતે પ્રજાની દુર્ગતિ થશે તેના વિશે શુકદેવજીનો અભિપ્રાય સાંભળીશું.

Oct 09, 202123:20
Bhagvat Puran Skandh 12 Adhyay 1

Bhagvat Puran Skandh 12 Adhyay 1

બારમાં સ્કંધ ની શરૂઆત કરતા, આજે આપણે કળીયુગના રાજાઓ અને તેમના વંશોનું વર્ણન સાંભળીશું.

Oct 08, 202118:18
Bhagvat Puran Skandh 11 Adhyay 31

Bhagvat Puran Skandh 11 Adhyay 31

દારૂક ગયા પછી અનેક દેવતાઓ, ઋષિમુનિઓ, અને બીજા ઘણા બધા ભગવાનના દર્શન માટે પ્રભાસક્ષેત્રમાં પહોંચ્યા અને તેમના જોતાં જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પહોંચી ગયા. આમ ભગવાને પૃથ્વી પર પોતાની લીલા સંકેલી.

Oct 07, 202117:28
Bhagvat Puran Skandh 11 Adhyay 30

Bhagvat Puran Skandh 11 Adhyay 30

આજના અધ્યાયમાં આપણે ભગવાને યદુકુળનો સંહાર પ્રભાસ ક્ષેત્રમાં કેવી રીતે કરાવે કરાવ્યો તેની વાત સાંભળીશું. પોતાના કુળના મહાવીરઓ અને વીરોનો સંહાર થતાં, અને બલરામજીના પરંપળમાં લીન થયાની વાત જાણીને, ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ સ્વરૂપ માં બેસી ગયા. ત્યાં જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણના પગની લાલીમા જોઈ ને એવું જાણ્યું કે આ એક મૃગ છે અને પોતાના બાણથી ભગવાનના પગ ને વીંધી નાખ્યો. જ્યારે તેણે જોયું કે આ તો ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે, ત્યારે તેણે ભગવાનની માફી માગી, અને ભગવાને તેને સંદેહ સ્વર્ગમાં મોકલી આપ્યો. ત્યારબાદ, ભગવાને પોતાના સારથિ દારુક ને દ્વારિકામાં બધાને સંદેશ આપવાની આજ્ઞા કરી, અને પોતે સ્વધામ આવવાની તૈયારી કરી.

Oct 06, 202123:12
Bhagvat Puran Skandh 11 Adhyay 29

Bhagvat Puran Skandh 11 Adhyay 29

આજના ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ધર્મનું નિરુપણ કરે છે તેઓ જણાવે છે કે જ્યારે મનુષ્ય સમભાવની ભાવનાથી પ્રેરાઈને બધામાં મને જુએ છે ત્યારે મને પામી લે છે. ભાગવત ધર્મનો આભાર ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપે છે.

Oct 05, 202123:47
Bhagvat Puran Skandh 11 Adhyay 28

Bhagvat Puran Skandh 11 Adhyay 28

ભગવાન આજના અધ્યાયમાં આપણને પરમાર્થ નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આત્મા જ સ્વયંપ્રકાશ છે, દ્રષ્ટા સાક્ષી છે અને અજ્ઞાની લોકો જ આત્માનો સંબંધ ઇન્દ્રિય અને પ્રાણ સાથે કરે છે. તેથી તેમને સંસાર અસત્ય હોવા છતાં પણ સત્ય લાગે છે. પણ જે સાધક ભગવાનનો આશ્રય લઈને યોગસાધનામાં સંલગ્ન થાય છે એને કોઈ વિઘ્ન ડગાવી શકતો નથી, તેની કામનાઓ નષ્ટ થઈ જાય છે, અને આત્માનંદની અનુભૂતિ માં તે મગ્ન થઈ જાય છે.

Oct 04, 202125:40
Bhagvat Puran Skandh 11 Adhyay 27

Bhagvat Puran Skandh 11 Adhyay 27

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ક્રિયા યોગનું વર્ણન સાંભળીશું.

Oct 03, 202127:07
Bhagvat Puran Skandh 11 Adhyay 26

Bhagvat Puran Skandh 11 Adhyay 26

આજના અધ્યાયમાં આપણે પરમ યશસ્વી સમ્રાટ ઈલા નંદન પુરૂરવાના વૈરાગ્ય વચનો સાંભળીશું. પુરૂરવા સ્વર્ગની અપ્સરા ઉર્વશી ના પ્રેમમાં આંધળા થઈ ગયા છે અને જ્યારે ઉર્વશી તેમને છોડીને ચાલી જાય છે ત્યારે તેમને વૈરાગ્ય જ્ઞાન થાય છે.

Oct 02, 202119:47
Bhagvat Puran Skandh 11 Adhyay 25

Bhagvat Puran Skandh 11 Adhyay 25

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ત્રણેય ગુણોની વૃત્તિઓનું નિરૂપણ સાંભળીશું. ભગવાન સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણ વચ્ચેના ભેદને બહુ જ અદભુત રીતે સમજાવે છે અને આપણને જણાવે છે એ ભગવાનની પ્રાપ્તિ માટે ના શક્તિ એ જ પ્રગતિનો માર્ગ છે.

Oct 01, 202121:48
Bhagvat Puran Skandh 11 Adhyay 24

Bhagvat Puran Skandh 11 Adhyay 24

આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સાંખ્ય શાસ્ત્રનો અભિપ્રાય સંભળાવે છે.

Sep 30, 202121:52
Bhagvat Puran Skandh 11 Adhyay 23

Bhagvat Puran Skandh 11 Adhyay 23

ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને કેવી રીતે વશ ન થઈ શકાય. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ તે કશું બ્રાહ્મણની કથા કહે છે અને તેના દ્વારા આપણને આત્મા અને શરીર વચ્ચેનો ભેદ સમજાવે છે.

Sep 29, 202129:14
Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 2

Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 2

ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે કે પ્રકૃતિ અને પુરુષમાં ભિન્નતા અને અભિન્નતા કેમ જણાય છે. ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉત્તરમાં તાતવજ્ઞાન અને આત્મજ્ઞાનનો ઉત્તમ સંદેશ આપે છે. 

Sep 28, 202123:49
Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 1

Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 1

આજના અધ્યાયમાં આપણે તત્વોની સંખ્યા વિષે ઋષિઓમાં થયેલો મતભેદ અને તેના વિષે ભગવાન શ્રીકૃષ્ણનો મત પણ જાણીશું.

Sep 27, 202117:49
Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 2

Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 2

આજના અધ્યાયમાં આપણે ગુણદોષ ની વ્યવસ્થાના સ્વરૂપ અને તેના રહસ્ય વિષે ભગવાનનું વિવેચન સાંભળીશું. 

Sep 26, 202121:53
Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 1

Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 1

આજના અધ્યાયમાં આપણે ગુણદોષ ની વ્યવસ્થાના સ્વરૂપ વિષે ભગવાનનું વિવેચન સાંભળીશું. 

Sep 25, 202119:01
Bhagvat Puran Skandh 11 Adhyay 20

Bhagvat Puran Skandh 11 Adhyay 20

ભગવાને જ્યારે કહ્યું કે ગુણદોષો પર દ્રષ્ટિ ન જવી એ જ સૌથી મોટો ગુણ છે, તે સંબંધમાં ઉદ્ધવજી વધારે વિશ્લેષણની વિનંતી કરે છે. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનયોગ, કર્મયોગ, અને ભક્તિયોગ વિશેની ખુબ સુંદર છણાવટ કરે છે, અને ઉદ્ધવજીને જણાવે છે કે કયા પ્રકારની વ્યક્તિ કયા યોગમાં સ્થાપિત થાય છે અને કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકે છે.

Sep 24, 202118:51