Bhagvat Puran Skandh 6 Adhyay 5




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>પોતાના વંશની વૃદ્ધિ માટે દક્ષ પ્રજાપતિએ હયાશ્વ નામના દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા અને તેમને સંતાન પ્રાપ્તિ માટે તપ કરવા નારાયણ સરોવર મોકલ્યા. ત્યાં એમને નારદજી મળ્યા અને નારદજીના ઉપદેશ પ્રમાણે તે બધા ભાગવત ધર્મમાં રચ્યાપચ્યા રહ્યા અને સંતાન પ્રાપ્તિ તરફ ધ્યાન ન આપ્યું. દક્ષ પ્રજાપતિને જ્યારે જાણ થઈ કે નારદજીના ઉપદેશના કારણે તેમના પુત્રો હવે સંતાનપ્રાપ્તિમાં રસ ધરાવતા નથી ત્યારે ખૂબ શોકીત થયા. દક્ષ પ્રજાપતિએ ત્યારે બીજા દસ હજાર પુત્રો જેમના નામ શબલાંશ્ચ હતા તેમને જન્મ આપ્યો. તેઓ પણ સંતાન પ્રાપ્તિ માટે નારાયણ સરોવર પાસે તપ કરવા માટે ગયા અને નારદજીએ તેમને ઉપદેશ આપતા તેઓ પણ ભગવદભક્તિમાં જોડાઈ ગયા. આ જાણીને દક્ષ પ્રજાપતિને ખૂબ ગુસ્સો આવ્યો અને જ્યારે નારદજીને મળ્યા ત્યારે તેમણે નારદજીને શ્રાપ આપ્યો. સંત શિરોમણી નારદજીએ આ શ્રાપ સ્વીકાર પણ કરી લીધો.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message