Summary: <p>શ્રી હરિના જણાવ્યા મુજબ દેવતાઓએ દધીચિ ઋષિ પાસે જઈ અને તેમના અસ્થિઓની માંગ કરી. દધીચિ ઋષિએ તેમની પાસે સુંદર તર્ક ની માંગ કરી. ત્યારબાદ પોતાનો દેહત્યાગ કરી અસ્થિઓ દેવતાઓને સમર્પણ કર્યા. દેવતાઓએ આ અસ્થિઓમાંથી વિશ્વકર્માની મદદથી વજ્રનું નિર્માણ કર્યું અને ત્યારબાદ તેમણે વૃત્રાસુર ની સેના પર આક્રમણ કરી દીધું. વજ્રના પ્રભાવથી અસુર સેના તહસ-નહસ થઈ ગઈ અને ચારે તરફ ભાગવા લાગી. તે સમયે વૃત્રાસુરે પોતાની સેનાને શૂરવીર માટે ઉત્તમ એવા મૃત્યુની ગતિ સમજાવી . </p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message