Summary: <p>છઠ્ઠા સ્કંધના પ્રથમ અધ્યાયમાં રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરે છે કે એવા કયા અનુષ્ઠાન મનુષ્ય જાતિ એ કરવા જોઇએ જેથી તેને ભયંકર યાતનાઓપૂર્ણ નરકમાં જવું પડે નહીં. તેના જવાબમાં શુકદેવજી ખૂબ સુંદર રીતે ધર્મ અને તત્વજ્ઞાન નું વિશ્લેષણ કરે છે. ત્યારબાદ તેઓ અજામિલ નામના એક બ્રાહ્મણ નું આખ્યાન રાજા પરીક્ષિતને સંભળાવે છે. અજામિલ એક વિદ્વાન બ્રાહ્મણ છે જે ખોટા રસ્તે ચડી ચૂક્યા છે. તેમના સૌથી નાના પુત્ર નું નામ નારાયણ છે અને જ્યારે યમદૂતો તેમને લેવા માટે આવે છે ત્યારે તે પુત્ર મોહ માં નારાયણ એમ બોલે છે અને તે સાંભળતા ભગવાન વિષ્ણુના પાર્ષદો ત્યાં આવી અને યમદૂતોને અજામિલ નો પ્રાણ ન લઈ જવા માટે કહે છે. યમના દૂતો એ સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદોને અજામિલ નું વૃતાંત કહી સંભળાવે છે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message