Summary: <p>દેવરાજ ઇન્દ્રને પોતાની સભા અને શક્તિ પ્રત્યે ખૂબ ગર્વ જાગી ગયો હતો. એકવાર તેમના ગુરૂ બૃહસ્પતિ જ્યારે સભામાં આવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર ઉભા પણ ન થયા અને એમનો કોઈ સત્કાર ન કર્યો. આ જોતા બૃહસ્પતિજીએ ઈન્દ્રની સભાનો ત્યાગ કર્યો અને ગુરુ ન હોવાને કારણે તેમની સભામાંથી જ્ઞાન નો વિલોપ થયો. આની જાણ થતા અસુરોએ દેવો પર આક્રમણ કરી દીધું અને સ્વર્ગ પોતાનો કબજો જમાવી દીધો. દેવતાઓએ આ કારણસર બ્રહ્માજી પાસે ગયા અને તેમની પાસે આ દુર્ગમતાનો ઉપાયો માંગ્યો. બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે તેઓ અસુર પુરોહિત એવા વિશ્વરૂપ પાસે જાય અને એમની આચાર્ય તરીકે વરણી કરે. દેવોએ પોતાના તર્કથી વિશ્વરૂપ ને મનાવી લીધા અને વિશ્વરૂપ ના જ્ઞાનકુંભથી તેઓ અસુરોની સામે વિજય મેળવી શક્યા.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message