Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
- Visit Website
- RSS
- Artist: Paurav Shukla
- Copyright: Paurav Shukla
Podcasts:
સહસ્ત્ર બાહુ નો વધ કર્યા પછી પિતાની આજ્ઞા પ્રમાણે પરશુરામજીએ એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી. ત્યારબાદ જ્યારે કપટથી સહસ્ત્ર બાહુના પુત્રોએ જમદગ્નિ ઋષિનો વધ કર્યો ત્યારે પરશુરામજીએ ક્રોધિત થઈને 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખી. આ અધ્યાયમાં આપણે વિશ્વામિત્ર જી અને શૂન:શેપ જેમ ની કથા આગળ પણ કરી ચુક્યા છીએ (હરિશ્ચંદ્ર ની સાથે), તેમની પણ વાર્તા સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ચંદ્રવંશ ના ઇતિહાસને આગળ વધારતા આજે આપણે ઋચીક ઋષિ, જમદગ્નિ ઋષિ, અને પરશુરામજીના ચરિત્ર વિશે સાંભળીશું. ખાસ કરીને આપણે રાજા સહસ્ત્રબાહુ અને રાવણ તથા સહસ્ત્રબાહુ અને પરશુરામજી વચ્ચેના પરાગની વાત સમજીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આ અધ્યાયથી આપણે ચંદ્રવંશ ની કથા સાંભળીશું. સર્વ પ્રથમ આપણે અત્રી, તેમના પુત્ર ચંદ્રમા, અને બૃહસ્પતિ અને ચંદ્રમા વચ્ચેના દ્વેષ અને યુદ્ધની વાત સમજીશું. ત્યારબાદ આ અધ્યાયના કથાનાયક એવા રાજા પુરુરવા અને ઉર્વશી વચ્ચેના સંબંધની વાત વિશે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે રાજા નીમી અને તેમના વંશજોની વાત સાંભળીશું. ખાસ કરીને આપણે મિથિલા નગરીના રાજાઓ અને એ વંશને વિશે વધારે માહિતી મેળવીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ઈશ્વાકુ વંશના રાજાઓનું શેષ રાજાઓનું વર્ણન આપણે આ અધ્યાયમાં સાંભળીશું. આપણે જુદા જુદા રાજાઓના નામ, તેમના વંશજો, અને તેમના યુદ્ધ વિશે જાણીશું.ખાસકરીને આપણે બૃહદબલ અને અભિમન્યુ વચ્ચેના યુદ્ધની, એટલે કે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓનો વચ્ચેના યુદ્ધની વાત સાંભળીશું. જે દ્વારા આપણે સૂર્યવંશના અસ્ત અને ચંદ્ર દર્શન વધી રહેલા પ્રભાવની સમજ મેળવીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ભગવાન શ્રી રામચંદ્રજી ની શેષ લીલાઓનું વર્ણન આ અધ્યાયમાં આપણે સાંભળીશું. રામચંદ્રજી આ અધ્યાયમાં આપણને એક સબળ રાજા અને તેની નીતિ વિશેની સમજણ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ઈશ્વાકુ વંશ ના સૌથી મહાન એવા રાજા અને વીર પુરુષ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ ભગવાનના ચરિત્ર ની વાર્તા સાંભળીશું. આ અધ્યાયમાં રામજી એ વીરપુરુષ તરીકે અને વીર તરીકે પોતાનો ધર્મ કેવી રીતે ધારણ કરવો તેના વિશેની આપણને સમજણ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
કપિલ મુનિ ની સુચના મુજબ અંશુમાન અને તેમના વંશજો એ માતા ગંગા ને પૃથ્વી પર અવતરણ કરવા માટે ખૂબ વિનંતીઓ કરી. છેલ્લે ભગીરથની વિનંતી માનીને ગંગાજી એ પૃથ્વી પર અવતરણ કર્યું. ભગવાન શંકરે તેમને પોતાની જટામાં ઝીલી લીધા અને ત્યારબાદ ભગીરથ ગંગા ને તેમના પૂર્વજોની ભસ્મ પાસે બસમાં લઈ આવ્યા અને તેમનો ઉદ્ધાર કર્યો. આ અધ્યાયમાં આપણે રાજા સૌદાસની કથા પણ સાંભળી શું. એ કથાના મર્મમાં આપણે અધર્મ ના લાંબા સમય સુધી રહેતા પરિણામ ની ચર્ચા કરીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે રાજા સગર અને તેમના વંશજોની વાર્તા સાંભળવી છે. રાજા સગરના પુત્રોએ અશ્વમેધ યજ્ઞ ના ઘોડા ને શોધવા માટે આખી પૃથ્વીને ખોદી નાખી જેનાથી સાગરોનું નિર્માણ થયું. કપિલ મુનિના નેત્રોથી તે બધા પુત્રો થયા ભસ્મ થઈ ગયા. અને રાજા સગરના પૌત્ર એવા અંશુમાને કપિલ મુનિ પાસેથી અશ્વમેઘ યજ્ઞ ના ઘોડા ને પાછો લાવી અને પોતાના પૂર્વજોના પાપને ધોવા નો પ્રયત્ન કર્યો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આ અધ્યાયમાં આપણે રાજા ત્રિશંકુ અને તેમના પુત્ર રાજા હરિશ્ચંદ્રની વાત સાંભળીશું. બંનેના જીવનમાં જે જુદા જુદા પ્રકારના મોહનું બન્ધન છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ઇશ્વાકુના વંશનું વર્ણન સાંભળીશું. આપણે રાજા માન્ધાતા એન્ડ સૌભીર ઋષિની કથા પણ સાંભળીશું. સૌભીર ઋષિની કથા દ્વારા આપણે જીવનમાં સામાજિક દેખાદેખીથી કેમ દૂર રેહવું એનો મર્મ પણ સમજીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
શ્રી હરિએ જણાવ્યા પ્રમાણે દુર્વાસાજી રાજા અંબરીશ પાસે આવીને તેમની માફી માંગે છે. રાજા અંબરીશ ખુબ સહાનુભૂતિથી સુદર્શન ચક્રને પાછા વળી જવાની વિનંતી કરે છે અને દુર્વાસાજીના દુઃખનું નિવારણ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
વૈવસ્વત મનુના પુત્ર નાભાગ, એમના પુત્ર નભાગ, અને પ્રપોત્ર અમ્બરીષની કથા આ અધ્યાયમાં આપણે સાંભળીશું. જયારે ઋષિ દુર્વાશા રાજા અંબરીશને શ્રાપ આપે છે ત્યારે, શ્રી હરિનું સુદર્શન ચક્ર દુર્વાસાજીની પાછળ પડી જાય છે અને રાજાનું રક્ષણ કરે છે. દુર્વાસાજી ત્રણે લોકમાં જાય છે પણ કોઈ રીતે આ ચક્ર થી પીછો છોડવી શકતા નથી. છેલ્લે જયારે તેઓ શ્રી હરિ પાસે આવી પોહ્ચે છે ત્યારે ભગવાન વિષ્ણુ તેમને પોતાના ભકત અને તેમની ભક્તિ નો મહિમા સમજાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આ અધ્યાયમાં આપણે રાજા શર્યાતિનાં વંશ વિશે સાંભળીશું. ત્યારબાદ આપણે મહર્ષિ ચ્યવન અને રાજા શર્યાતિનાં પુત્રી સુકન્યા ના ચરિત્ર વિશે જાણીશું. મહર્ષિ ચ્યવન પોતાની શક્તિથી અને વૈદ્ય અશ્વિનીકુમારોની મદદથી પોતાના શરીરને ફરિવાર યૌવન પ્રદાન કરે છે. તે મર્મ ની વાત આપણે અધ્યાયમાં કરીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
નવમાં સ્કંધના બીજા અધ્યાયમાં આપણે વૈવસ્ત મનુના બીજા પુત્રો અને ખાસ કરીને પૃષદ્યની વાત સાંભળીશું. આ વાર્તા દ્વારા આપણે વર્તમાનમાં જીવવાનું અને વર્તમાનની અવસ્થાને યાદ રાખવા વિશે સમજીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message