Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
- Visit Website
- RSS
- Artist: Paurav Shukla
- Copyright: Paurav Shukla
Podcasts:
ઉદ્ધવજીએ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો ગોપીઓને આપ્યો છે. આ સંદેશો સાંભળીને ગોપીઓની વિરહની વ્યથા ઓછી થઈ છે. ઉદ્ધવજી કેટલાય મહિનાઓ સુધી વ્રજમાં રોકાય છે અને શ્રીકૃષ્ણની લીલા ચર્ચાઓમાં પોતાનો સમય પસાર કરે છે. ઘણો વખત થયા બાદ તેઓ મથુરા પાછા ફરે છે અને શ્રીકૃષ્ણને પોતાની વ્રજમાં વિતાવેલી પળો નો અહેવાલ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
નંદબાવાને ઘરે સોનાના રથને જોઈને ગોપીઓને શંકા જાય છે કે ક્યાંક અક્રૂરજી પાછા કશુંક લેવા માટે નથી આવ્યા ને. જયારે તેમને જાણ થાય છે કે આ તો ઉદ્ધવજી જે શ્રીકૃષ્ણ ના પ્રિય છે તે આવ્યા છે ત્યારે ગોપીઓ તેમની સાથે જે સંવાદ કરે છે, તે આજે આપણે સાંભળીશું. ભમરાનું રૂપક બનાવીને એક ગોપી ફરિયાદ કરે છે કે શું કૃષ્ણ અમારા દર્દ ને જાણે છે? --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ઉદ્ધવજી, વૃષ્ણીઓમાં પ્રધાનપુરુષ, બૃહસ્પતિજીનાં શિષ્ય અને શ્રી કૃષ્ણના પરમપ્રિય હતા. તે ઉદ્ધવજીને ભગવાન પોતાનો સંદેશો લઈને વ્રજમાં મોકલે છે. તેમની નંદબાવાની સાથેની વાત આજે આપણે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે શ્રીકૃષ્ણ અને બલરામજીના, દેવકી વસુદેવ સાથેના મિલનની, તેમના યજ્ઞોપવિતની, સાંદિપની ઋષિના ગુરુકુળમાં પ્રવેશની, 64 દિવસમાં 64 કળા સખીવાની અને ગુરુદક્ષિણામાં સાંદિપની ઋષિના મૃત પુત્રને પાછો લઇ આવવાની વાત સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ભગવાન શ્રીકૃષ્ણએ ચાણૂર વગેરે મલ્લના વદ્યનો અફર વિચાર કરી લીધો અને પછી તેઓ ચાણૂર સાથે અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે મલ્લનો વધ કરી ને ત્યારેબાદ ભગવાન શ્રીકૃષ્ણ કંસ સાથે યુદ્ધ કરવા લાગ્યા અને કંસનો ઉદ્ધાર તેમને કેવી રીતે કર્યો તે આપણે આજના અધ્યાયમાં સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
કંસને ભીતિ લાગી છે અને એટલે મલ્લયુદ્ધની ઘોષણા કરી દીધી. બીજે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના રંગભૂમિના દ્વાર પર પહોંચ્યા ત્યારે કુવલયાપીડ હાથી તેમનો રસ્તો રોકીને ઊભો હતો. તે હાથી નો વધ કરીને ભગવાન બલરામજી સાથે અખાડામાં પહોંચ્યા. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણએ કુબ્જા પર કઈ રીતે કૃપા કરી અને ધનુષ્ય ભંગ કેવી રીતે કર્યો તેના વિષે સાંભળીશું. કંસના હૃદયમાં ભીતિ પેઠી છે તેની વાત પણ જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મથુરા નગરી ના દ્વારે પોહ્ચ્યા છે. અક્રૂરજી ભગવાનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના સખા સાથે મથુરા નગર ની બહાર રોકાય છે. બીજે દિવસે સવારે શ્રી કૃષ્ણ, બલરામજી અને ગોપબાળો નગર જોવા માટે નીકળે છે અને તેમની મુલાકાત એક ધોબી, દરજી અને માળી સાથે થાય છે. આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની મથુરા યાત્રા વિશે સાંભળીશું. આપણે સુદામા માળી એ કરેલી ભગવાનની નમ્ર સ્તુતિ પણ સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
અક્રૂરજી એ જમના જળમાં જ્યારે ડૂબકી મારી અને ભગવાનનાં દર્શન થયાં છે ત્યારે તેમનામાં પરમ ભક્ત ભાવ ઉમટી પડ્યો છે. આ અધ્યાયમાં આપણે અક્રૂરજી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જુદા જુદા રૂપની સ્તુતિ સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે શ્રીકૃષ્ણના અને બલરામજીના મથુરા ગમન ની વાત કરવી છે. અક્રૂરજી જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામને નંદબાવાની અને ગોપોની સાથે મથુરા લઈ જવા તૈયાર થયા છે, ત્યારે ગોપીઓ વિધાતાને આરોપ આપતા કહે છે કે અમારા શ્યામસુંદરને અમારી પાસેથી ન લઈ જાવ. ગોપીઓની આ વેદના ને આ અધ્યાયમાં વ્યાસજીએ બહુ માર્મિક રીતે વ્યક્ત કરી છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
અક્રૂરજી ભગવાનના પરમભક્ત છે. જયારે કંસ તેમને વ્રજ જવાની આજ્ઞા આપે છે ત્યારે તેઓ આખો વખત ભગવાન વિષે જ વિચારી રહ્યા છે. તેમની વ્રજયાત્રા વિષે આપણે આજે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કેશી અને વ્યોમાસુરનો ઉદ્ધાર કેવી રીતે થયો તેના વિષે જાણીશું. આપણે નારદજીએ કરેલી ભગવાનની અદભુત સ્તુતિ પણ સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
અરિષ્ટાસુર બળદનું રૂપ લઇ અને વ્રજમાં ઘુસી આવ્યો છે, તેનો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણ કરે છે. બીજી તરફ નારદજી કંસને તેની ભવિષ્યવાણી અને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી વિષે જણાવે છે. આ સાંભળતા કંસ ષડયંત્રની રચના કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે દરરોજ વનમાં જતા તયારે ગોપીઓનું ચિત્ત તેમની સાથે ચાલ્યું જતું હતું. તેમનું મન શ્રીકૃષ્ણનું ચિંતન કરતુ રહેતું અને તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી રહેતી. આ યુગલ ગીત આજના અધ્યાય આપણે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વિદ્યાધર સુદર્શન અને યક્ષ શંખચૂડનો ઉધ્ધાર થયો તેના વિશેની વાત સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message