Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Bhagvat Puran Skandh 10 Adhyay 20 | File Type: audio/mpeg | Duration: 00:25:56

ભગવાન શ્રીકૃષ્ણના અનેક પરાક્રમો સાંભળ્યા પછી હવે આ અધ્યાયથી આપણે શૃંગાર રસની વાત કરવી છે. આજના અધ્યાયમાં આપણે વર્ષાઋતુ અને શરદઋતુના વાતાવરણની અવલોકન કરીશું. આ અવલોકનોની સાથે વ્યાસજી તત્વજ્ઞાનની વાતો જોડી દે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 19 | File Type: audio/mpeg | Duration: 00:13:04

જ્યારે ગોપબાલો રમત માં ડૂબી ગયા છે, ત્યારે તેમની ગાયો ચરતી ચરતી મુંજ ધાસના વનમાં પહોંચી જાય છે. ત્યાં આગ લાગતા ગાયો અને ગોવાળ બધા ઘેરાઈ જાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે કે અમને બચાવો. તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન તેમને દાવાનળમાંથી બચાવી લે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 18 | File Type: audio/mpeg | Duration: 00:16:24

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે પ્રલમ્બાસુરનો ઉદ્ધાર કેવી રીતે કર્યો  તેની વાત  જાણીશું.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 17 | File Type: audio/mpeg | Duration: 00:15:41

કાલિયનાગ ના દમનની વાત સાંભળી, રાજા પરીક્ષિતને પ્રશ્ન થાય છે કે કાલિયનાગ યમુનાના ધરામાં આવ્યો કેમ. શ્રી શુકદેવજી આ ઘટનાનો પૂર્વાર્ધ અને ભગવાને વ્રજવાસીઓને દાવાનળથી કેવી રીતે બચાવ્યા તેની વાર્તા આ અધ્યાયમાં કરે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 16 | File Type: audio/mpeg | Duration: 00:34:07

રાજા પરીક્ષિતના પ્રશ્નના જવાબમાં શ્રી શુકદેવજી તેમને કાલિયનાગ કોણ હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ કેવી રીતે તેનું દમન કર્યું તેની વાર્તા વિસ્તાર પૂર્વક જણાવે છે. કાલિયનાગનું દમન કાર્ય બાદ શ્રી કૃષ્ણ તેને તેના ધામ રમણકપુરી જવાનો આદેશ આપે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 15 | File Type: audio/mpeg | Duration: 00:21:50

ગાયો ચરાવતા ગોપોબાળો શ્રીકૃષ્ણ અને બલરામને તાડવનમાં રહેતા ધેનુકાસુર રાક્ષસ વિશે જણાવે છે. શ્રી કૃષ્ણ અને બલરામ તાડવનમાં પહોંચીને ધેનુકાસુર અને તેના સાથીઓનો ઉદ્ધાર કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 14 | File Type: audio/mpeg | Duration: 00:33:23

પોતાનો વિશ્વકર્તા હોવાનો મોહ નાશ થતાં બ્રહ્માજી ભગવાન શ્રીકૃષ્ણની અદભુત સ્તુતિ કરે છે. તે સ્તુતિ આજે આપણે આ અધ્યાયમાં સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 13 | File Type: audio/mpeg | Duration: 00:28:20

બ્રહ્માજીને વિશ્વકર્તા હોવાનો મોહ થયો છે અને તેથી તેમણે શ્રી કૃષ્ણના બધા સખા અને ગાયોને અદ્રશ્ય કરી દીધા છે. શ્રી હરિ આ બધું જાણતા હોવાથી આ બધાનું સ્વરૂપ લઇ લે છે અને એક વર્ષ સુધી આમ કરે છે. જયારે બ્રહ્માજીનો મોહ નાશ થઇ જાય છે ત્યારે તેઓ શ્રી હરિના ચરણોમાં ઝૂકી જાય છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 12 | File Type: audio/mpeg | Duration: 00:23:49

કંસની આજ્ઞાથી અઘાસુર એક વિકરાળ અજગરનું રૂપ લઈને ગોપબાળોના માર્ગમાં આવી જાય છે. તેના ખુલ્લા મોઢાને ગુફા સમજીને ગોપબાળ અંદર જાય છે. જયારે શ્રી કૃષ્ણ પણ અંદર પ્રવેશે છે ત્યારે અઘાસુર પોતાનું મુખ બંધ કરી દે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના શરીરને ખુબ મોટું બનાવી દે છે. તેથી અઘાસુર પોતેજ રૂંધાઇ જાય છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 11 | File Type: audio/mpeg | Duration: 00:22:48

નંદગામમાં આફત ઉપર આફત આવી રહી છે. અસુરનો ત્રાસ વધતો જતો જૉઇને વૃદ્ધ ગોપો નક્કી કરે છે કે બધા વૃંદાવનમાં ચાલ્યા જઇયે. આખું નંદગામ વૃંદાવન જવા ઉચાળા ભરે છે. કંસના અસુરો ત્યાં પણ કનૈયાને મારવાનો પ્રયત્ન કરે છે. આજના અધ્યાયમાં આપણે ભગવાને વત્સાસુર અને બકાસુરનો કેવી રીતે ઉદ્ધાર કર્યો, તે વિષે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 11 | File Type: audio/mpeg | Duration: 00:24:48

ખાંડણિયા સાથે બંધાયેલ શ્રી કૃષ્ણઃ તેને ઘસડતાં ઘસડતા, ઘરની બહાર આવેલા અશોકવૃક્ષ પાસે લઇ આવે છે. પોતે તો અશોકવૃક્ષના બે ફડિયા વચ્ચેથી નીકળી જાય છે, પણ ખાંડણીયો ફસાઈ જાય છે. જયારે શ્રી કૃષ્ણ જરાક જોરથી ખાંડણિયાને ખેંચે છે ત્યારે અશોકવૃક્ષ પડી જાય છે. આ અશોકવૃક્ષ કોણ છે અને ભગવાને તેમનો ઉદ્ધાર કેમ કર્યો તેની વાત આજના અધ્યાયમાં આપણે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 9 | File Type: audio/mpeg | Duration: 00:19:34

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની દામોદરલીલાની વાત કરવી છે. યશોદાજી લાલા માટે તાજું માખણ બનાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ આવીને દૂધ ની માંગ કરે છે. માતા યશોદા સ્તનપાન કરાવી જ રહ્યાં છે ત્યાં રસોડા માં દૂધ ઉભરાય છે અને એ ન થાય તે માટે યશોદામાતા જરા વાર માટે રસોડામાં જાય છે ત્યાં તો તેમનો લાલો ગુસ્સે થઇ ને દહીં મંથનની ગોળી ફોડી નાખે છે અને માખણ ખાવા લાગે છે. વાંદરાને માખણ વહેચતા લાલાને જોઈને યશોદાજી તેને ખાંડણિયા સાથે બાંધી દે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 8 Part 2 | File Type: audio/mpeg | Duration: 00:19:49

ગોપીઓને પણ શ્રી કૃષ્ણ માખણ ચોરી જાય તે ગમે છે. છતાંય તે ખોટું ખોટું માતા યશોદા પાસે જઈને કહે છે કે માતા યશોદા તમારા કાનુડાએ અમારું માખણ ચોર્યું છે. આ માખણ ચોરી ખરેખર ચોરી છે? તેના વિશે નો મર્મ આજે આપણે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 8 Part 1 | File Type: audio/mpeg | Duration: 00:22:09

આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણની બાળલીલાઓ ની વાતો સાંભળવી છે. પ્રથમ આપણે શ્રીકૃષ્ણના નામકરણ સંસ્કાર વિશેની માહિતી મેળવીશું. શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર શ્રી ગર્ગાચાર્યજી, જેઓ યાદવકુળના પુરોહિત હતા, તેમણે કર્યા. શ્રી કૃષ્ણ, બલરામ અને તેમના સખાઓ દ્વારા માખણ ચોરીની વાત પણ આજે આપણે માણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 7 | File Type: audio/mpeg | Duration: 00:24:23

આગલા જન્મમાં જે લોકોને પોતાના કર્મોને લીધે રાક્ષસ રૂપ મળ્યું હતું તેમાના કેટલાક નો ઉદ્ધાર શ્રીકૃષ્ણ પોતાના બાળ સ્વરૂપમાં કરે છે. આજના અધ્યાયમાં આપણે શકટ અને તૃણાવર્તના ઉદ્ધાર ની વાત સાંભળવી છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.