Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
- Visit Website
- RSS
- Artist: Paurav Shukla
- Copyright: Paurav Shukla
Podcasts:
ભગવાન શ્રીકૃષ્ણના અનેક પરાક્રમો સાંભળ્યા પછી હવે આ અધ્યાયથી આપણે શૃંગાર રસની વાત કરવી છે. આજના અધ્યાયમાં આપણે વર્ષાઋતુ અને શરદઋતુના વાતાવરણની અવલોકન કરીશું. આ અવલોકનોની સાથે વ્યાસજી તત્વજ્ઞાનની વાતો જોડી દે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
જ્યારે ગોપબાલો રમત માં ડૂબી ગયા છે, ત્યારે તેમની ગાયો ચરતી ચરતી મુંજ ધાસના વનમાં પહોંચી જાય છે. ત્યાં આગ લાગતા ગાયો અને ગોવાળ બધા ઘેરાઈ જાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે કે અમને બચાવો. તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન તેમને દાવાનળમાંથી બચાવી લે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે પ્રલમ્બાસુરનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તેની વાત જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
કાલિયનાગ ના દમનની વાત સાંભળી, રાજા પરીક્ષિતને પ્રશ્ન થાય છે કે કાલિયનાગ યમુનાના ધરામાં આવ્યો કેમ. શ્રી શુકદેવજી આ ઘટનાનો પૂર્વાર્ધ અને ભગવાને વ્રજવાસીઓને દાવાનળથી કેવી રીતે બચાવ્યા તેની વાર્તા આ અધ્યાયમાં કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
રાજા પરીક્ષિતના પ્રશ્નના જવાબમાં શ્રી શુકદેવજી તેમને કાલિયનાગ કોણ હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ કેવી રીતે તેનું દમન કર્યું તેની વાર્તા વિસ્તાર પૂર્વક જણાવે છે. કાલિયનાગનું દમન કાર્ય બાદ શ્રી કૃષ્ણ તેને તેના ધામ રમણકપુરી જવાનો આદેશ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ગાયો ચરાવતા ગોપોબાળો શ્રીકૃષ્ણ અને બલરામને તાડવનમાં રહેતા ધેનુકાસુર રાક્ષસ વિશે જણાવે છે. શ્રી કૃષ્ણ અને બલરામ તાડવનમાં પહોંચીને ધેનુકાસુર અને તેના સાથીઓનો ઉદ્ધાર કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
પોતાનો વિશ્વકર્તા હોવાનો મોહ નાશ થતાં બ્રહ્માજી ભગવાન શ્રીકૃષ્ણની અદભુત સ્તુતિ કરે છે. તે સ્તુતિ આજે આપણે આ અધ્યાયમાં સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
બ્રહ્માજીને વિશ્વકર્તા હોવાનો મોહ થયો છે અને તેથી તેમણે શ્રી કૃષ્ણના બધા સખા અને ગાયોને અદ્રશ્ય કરી દીધા છે. શ્રી હરિ આ બધું જાણતા હોવાથી આ બધાનું સ્વરૂપ લઇ લે છે અને એક વર્ષ સુધી આમ કરે છે. જયારે બ્રહ્માજીનો મોહ નાશ થઇ જાય છે ત્યારે તેઓ શ્રી હરિના ચરણોમાં ઝૂકી જાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
કંસની આજ્ઞાથી અઘાસુર એક વિકરાળ અજગરનું રૂપ લઈને ગોપબાળોના માર્ગમાં આવી જાય છે. તેના ખુલ્લા મોઢાને ગુફા સમજીને ગોપબાળ અંદર જાય છે. જયારે શ્રી કૃષ્ણ પણ અંદર પ્રવેશે છે ત્યારે અઘાસુર પોતાનું મુખ બંધ કરી દે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના શરીરને ખુબ મોટું બનાવી દે છે. તેથી અઘાસુર પોતેજ રૂંધાઇ જાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
નંદગામમાં આફત ઉપર આફત આવી રહી છે. અસુરનો ત્રાસ વધતો જતો જૉઇને વૃદ્ધ ગોપો નક્કી કરે છે કે બધા વૃંદાવનમાં ચાલ્યા જઇયે. આખું નંદગામ વૃંદાવન જવા ઉચાળા ભરે છે. કંસના અસુરો ત્યાં પણ કનૈયાને મારવાનો પ્રયત્ન કરે છે. આજના અધ્યાયમાં આપણે ભગવાને વત્સાસુર અને બકાસુરનો કેવી રીતે ઉદ્ધાર કર્યો, તે વિષે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ખાંડણિયા સાથે બંધાયેલ શ્રી કૃષ્ણઃ તેને ઘસડતાં ઘસડતા, ઘરની બહાર આવેલા અશોકવૃક્ષ પાસે લઇ આવે છે. પોતે તો અશોકવૃક્ષના બે ફડિયા વચ્ચેથી નીકળી જાય છે, પણ ખાંડણીયો ફસાઈ જાય છે. જયારે શ્રી કૃષ્ણ જરાક જોરથી ખાંડણિયાને ખેંચે છે ત્યારે અશોકવૃક્ષ પડી જાય છે. આ અશોકવૃક્ષ કોણ છે અને ભગવાને તેમનો ઉદ્ધાર કેમ કર્યો તેની વાત આજના અધ્યાયમાં આપણે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની દામોદરલીલાની વાત કરવી છે. યશોદાજી લાલા માટે તાજું માખણ બનાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ આવીને દૂધ ની માંગ કરે છે. માતા યશોદા સ્તનપાન કરાવી જ રહ્યાં છે ત્યાં રસોડા માં દૂધ ઉભરાય છે અને એ ન થાય તે માટે યશોદામાતા જરા વાર માટે રસોડામાં જાય છે ત્યાં તો તેમનો લાલો ગુસ્સે થઇ ને દહીં મંથનની ગોળી ફોડી નાખે છે અને માખણ ખાવા લાગે છે. વાંદરાને માખણ વહેચતા લાલાને જોઈને યશોદાજી તેને ખાંડણિયા સાથે બાંધી દે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ગોપીઓને પણ શ્રી કૃષ્ણ માખણ ચોરી જાય તે ગમે છે. છતાંય તે ખોટું ખોટું માતા યશોદા પાસે જઈને કહે છે કે માતા યશોદા તમારા કાનુડાએ અમારું માખણ ચોર્યું છે. આ માખણ ચોરી ખરેખર ચોરી છે? તેના વિશે નો મર્મ આજે આપણે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણની બાળલીલાઓ ની વાતો સાંભળવી છે. પ્રથમ આપણે શ્રીકૃષ્ણના નામકરણ સંસ્કાર વિશેની માહિતી મેળવીશું. શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર શ્રી ગર્ગાચાર્યજી, જેઓ યાદવકુળના પુરોહિત હતા, તેમણે કર્યા. શ્રી કૃષ્ણ, બલરામ અને તેમના સખાઓ દ્વારા માખણ ચોરીની વાત પણ આજે આપણે માણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આગલા જન્મમાં જે લોકોને પોતાના કર્મોને લીધે રાક્ષસ રૂપ મળ્યું હતું તેમાના કેટલાક નો ઉદ્ધાર શ્રીકૃષ્ણ પોતાના બાળ સ્વરૂપમાં કરે છે. આજના અધ્યાયમાં આપણે શકટ અને તૃણાવર્તના ઉદ્ધાર ની વાત સાંભળવી છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message