Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 2 | File Type: audio/mpeg | Duration: 00:22:52

ભગવાનના વ્યંગનો મર્મ સમજી જતા રુક્મણિજી ભગવાને દર્શાવેલા રૂપકની છણાવટ કરે છે. એમની વચ્ચેનો આ સુંદર સંવાદ ગૃહસ્થ જીવનની એક લાક્ષણિકતાને રજૂ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 1 | File Type: audio/mpeg | Duration: 00:22:53

હાસ્ય અને વ્યંગનો ઉપયોગ કરીને ભગવાન શ્રીકૃષ્ણ રુક્મિણીજી માં વધી રહેલા અહમને ઓછો કરવા માટે જણાવે છે કે શું એમની વચ્ચે નું મિલન યોગ્ય છે? આ સાંભળીને રુક્મિણીજી ઉદાસ અને ત્રાહિત થઈ જાય છે. આ જોઈને ભગવાન રુક્મિણીજીને સંભાળી લે છે અને તેમને પોતાના પ્રેમનું વચન આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 59 | File Type: audio/mpeg | Duration: 00:27:24

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના દ્વારા ભૌમાસુર નો ઉદ્ધાર કેવી રીતે થયો, અને ભગવાને સોળ હજાર રાજકુમારીઓને પોતાની પત્ની બનાવી, તેના વિશે જાણીશું. ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામાની વિનંતીથી, કલ્પવૃક્ષ, સ્વર્ગમાંથી દ્વારિકાના બગીચામાં સ્થાપિત કર્યું તેના વિશે પણ જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 58 | File Type: audio/mpeg | Duration: 00:23:18

આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના બીજા લગ્નની વાત સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 57 | File Type: audio/mpeg | Duration: 00:23:07

જ્યારે પાંડવો નું લાક્ષાગૃહમાં મૃત્યુ થયું છે તેવા સમાચાર સાંભળ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના હસ્તિનાપુર ગયા છે, ખરખરો કરવા માટે. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં ન હોવાથી શતધન્વા જે એક પાપી પુરુષ છે, તે કૃતવર્મા અને અક્રૂરજી ના ચઢાવવાથી, સત્રાજીત નો વધ કરે છે અને સ્યમંતક મણિ છીનવી લે છે. સત્યભામા હસ્તિનાપુર જઈને શ્રીકૃષ્ણને આ વાતની જાણ કરે છે. શ્રીકૃષ્ણ શતધન્વાનો વધ કરે છે અને ત્યાર બાદ અક્રૂરજી ને બોલાવીને તેમની પાસેથી સ્યમંતક મણિ હાંસલ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 56 | File Type: audio/mpeg | Duration: 00:23:37

આજના અધ્યાયમાં આપણે સ્યમંતક મણિ અને ભગવાન શ્રીકૃષ્ણનું જાંબુવાન સાથે યુદ્ધ તથા જાંબુવતી અને સત્યભામા સાથે શ્રીકૃષ્ણના વિવાહની વાત કરીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 55 | File Type: audio/mpeg | Duration: 00:21:44

શંકર ભગવાનના પ્રકોપથી ભસ્મ થયેલા કામદેવ, શ્રી કૃષ્ણ દ્વારા રુકમણીજીના બાળક થઈને ઉત્પન્ન થયા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. તેઓ દસ દિવસના હતા તે પહેલાં જ શમ્બરાસુર નામના એક અસૂરે તેમનું સૂતિકાગૃહમાંથી અપહરણ કર્યું અને દરિયામાં નાખી દીધા. વિધિના વિધાને પ્રદ્યુમ્નને પાછા શમ્બરાસુરના મહેલમાં જ લાવી દીધા અને ત્યાં પ્રદ્યુમ્નએ તે અસુરનો વધ કર્યો, રતી સાથે વિવાહ કરયા અને દ્વારિકા પાછા આવ્યા.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 54 | File Type: audio/mpeg | Duration: 00:27:59

રુક્મિણીનાં હરણની વાત સાંભળતા અને તેને પ્રત્યક્ષ જોતા રાજાઓ ખૂબ ગુસ્સે થઈને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે દોડ્યા. શ્રી કૃષ્ણ અને યાદવ સેનાએ તે બધા ને હરાવી દીધા. શિશુપાલને જરાસંધ એ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો કે આ કાળ નો નિયમ છે. ક્યારેક જીત થાય છે અને ક્યારેક હારી જવાય છે. રુકમણીજીના ભાઈ રુક્મિએ ભગવાન શ્રીકૃષ્ણને લલકાર્યા અને યુદ્ધમાં ભગવાને તેના કેશ અને દાઢી મુછ કાપીને કુરૂપ કરી નાખ્યો. ત્યારબાદ બલરામજીએ રુકમણીજી અને શ્રી કૃષ્ણ સુંદર સંદેશો આપ્યો અને તેમના વિવાહ માટેની તૈયારી કરી. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 53 | File Type: audio/mpeg | Duration: 00:24:18

રુક્મિણીનો સંદેશ મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથ પર બ્રાહ્મણ દેવતા સાથે સવાર થઈને એક જ રાત્રિમાં વિદર્ભપ્રદેશ પહોંચી ગયા. તેમની પાછળ બલરામજી પણ યાદવ સેનાને લઈને ત્યાં પહોંચ્યા. જ્યારે રુક્મિણીજી ગિરિજા મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે શ્રીકૃષ્ણએ તેમનું હરણ કરી લીધું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 52 | File Type: audio/mpeg | Duration: 00:22:57

રાજા મુચુકુન્દ પર અનુગ્રહ કરીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પાછા પહોંચ્યા અને કાલયવનની સેનાનો સંહાર કર્યો. ત્યારબાદ જ્યારે તેઓ દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે જરાસંધએ ૧૮મી વાર તેમની પર આક્રમણ કર્યું. શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાંથી ભાગી છુટ્યા અને દ્વારિકા પહોંચ્યા. થોડા દિવસોમાં ભીષ્મકનંદિની રુક્મિણીજીએ બ્રાહ્મણ દેવતા દ્વારા શ્રીકૃષ્ણને પોતાનો સંદેશો મોકલ્યો. રુક્મિણીજીએ કહ્યું કે મેં તમને મન થી જ પતિ માની લીધા છે અને તમે મારું હરણ કરી અને મને અપનાવી લો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 51 Part 2 | File Type: audio/mpeg | Duration: 00:20:50

ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા મુચુકુન્દ વચ્ચેનો સંવાદ આજે આપણે સાંભળીશું. રાજા મુચુકુન્દએ કરેલી ભગવાનની સુંદર સ્તુતિ પણ માણીશું. ભગવાન શ્રી કૃષ્ણ રાજા મુચુકુન્દને આદેશ આપે છે કે હવે તમે તપસ્યા કરીને તમારા તમામ પાપોને ધોઈ નાખો. ત્યારબાદ આવતા જન્મમાં તમે બ્રાહ્મણ બનશો અને પછી મને પ્રાપ્ત કરી લેશો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 51 Part 1 | File Type: audio/mpeg | Duration: 00:19:07

દ્વારિકા પુરી નું નિર્માણ કર્યા બાદ ભગવાન બધા યાદવોને પોતાની યોગશક્તિથી દ્વારિકા પહોંચાડી દે છે. ત્યારબાદ કોઈપણ અસ્ત્રશસ્ત્ર લીધા વિના તેઓ કાલયવનની સાથે યુદ્ધ કરવા માટે મથુરા ની બહાર નીકળી આવે છે. જ્યારે કાલયવન યુદ્ધ કરવા માટે તેમની તરફ દોડે છે, ત્યારે ભગવાન પોતે રણછોડ બનીને યુદ્ધભૂમિમાં થી ભાગી નીકળે છે અને પર્વતની એક ગુફામાં જઈને સંતાઈ જાય છે. કાલયવન જ્યારે એ ગુફામાં પ્રવેશે છે ત્યારે ત્યાં એક સૂતેલા પુરૂષને જુએ છે અને તેને લાત મારીને જગાડે છે. આ પુરુષ રાજા માંધાતા ના મહાવીર પુત્ર મુચુકુન્દ છે. જે આંખો ખોલતા જ કાલયવનને ભસ્મીભૂત કરી દે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ અને મુચુકુન્દ વચ્ચેનો સંવાદ આપણે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 50 | File Type: audio/mpeg | Duration: 00:30:18

કંસની બે રાણીઓ જરાસંધ ની પુત્રી હતી. કંસ વધ બાદ તે બે પુત્રીઓ પોતાના પિતા જરાસંધ પાસે પહોંચીને તેમના પિતાને પોતાના પતિના મૃત્યુનો બદલો લેવા માટે વિનંતી કરે છે. જરાસંધ 23 અક્ષોહિણી સેના લઈને મથુરા પર આક્રમણ કરે છે અને આવી રીતે ૧૭ વખત આક્રમણ કરે છે અને દર વખતે હારી ને પાછો આવે છે. જ્યારે જરાસંધ ૧૮મી વખત મથુરા પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે નારદજીનો મોકલેલો કાલયવન પણ મથુરા પર આક્રમણ કરે છે. મથુરા તરફ બે તરફથી થતા આક્રમણ ને ટાળવા માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા પુરી નું નિર્માણ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 49 | File Type: audio/mpeg | Duration: 00:20:18

ભગવાન ના આદેશ પ્રમાણે અક્રૂરજી હસ્તિનાપુર પહોંચીને ત્યાંની પરિસ્થિતી અને ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવો સાથે થતા અન્યાયને જોઈ રહ્યા છે. ત્યાંથી વિદાય થતાં પહેલા તેઓ ધૃતરાષ્ટ્રને ખૂબ સારી રીતે સમભાવ કેળવવા વિશેની સલાહ આપે છે. ધૃતરાષ્ટ્ર સલાહ સ્વીકારી શકતા નથી. અક્રૂરજી આ બધી વાત પાછા આવીને શ્રીકૃષ્ણને જણાવે છે. દસમા સ્કંધના ઉત્તરાર્ધનો આ છેલ્લો અધ્યાય છે --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 48 | File Type: audio/mpeg | Duration: 00:22:01

ઉદ્ધવજીના આવ્યાના થોડા દિવસ બાદ ભગવાન કુબ્જાના ઘરે વચન આપ્યા પ્રમાણે પહોંચ્યા છે. કુબ્જાની સાથે સમય વિતાવ્યા બાદ ભગવાન થોડા દિવસ પછી અક્રૂરજી ને ત્યાં પધારે છે અને અક્રૂરજી ને હસ્તિનાપુર જવાનો અને પાંડવોના હાલચાલ જાણી લાવવાનો આદેશ કરે છે. આજના અધ્યાયમાં આપણે જુદા જુદા ભક્તોની ભગવાન પાસે ની કામના વિશે ચર્ચા કરીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.