Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com

Join Now to Subscribe to this Podcast

Podcasts:

 Bhagvat Puran Skandh 10 Adhyay 6 | File Type: audio/mpeg | Duration: 00:24:20

કંસે આપેલી આજ્ઞા પ્રમાણે રાક્ષસી પૂતના બાળકો ના પ્રાણ હરી રહી છે. જ્યારે તે વ્રજમાં શ્રીકૃષ્ણના પ્રાણ હરવા માટે વ્રજમાં આવે છે ત્યારે એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ લે છે. શ્રીકૃષ્ણ તેને પારખી જાય છે. ત્યારબાદ જ્યારે પૂતના તેમને સ્તનપાન કરાવવા નો પ્રયત્ન કરે છે ત્યારે રુદ્ર ની સાથે રહીને શ્રીકૃષ્ણ તેનો જીવ લઇ લે છે. આ પૂતના કોણ છે અને શ્રી કૃષ્ણે તેનો ઉદ્ધાર કેમ કર્યો તેના વિશે આજના અધ્યાયમાં આપણે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 5 | File Type: audio/mpeg | Duration: 00:19:26

આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણના જન્મનો મહોત્સવ જે વ્રજ ગામમાં ઉજવાઈ રહ્યો છે તેના વિશે સાંભળીશું. ત્યારબાદ આપણે નંદજી અને વસુદેવજી ની મથુરા માં થયેલી મુલાકાત અને વસુદેવજી એ નંદબાવાને આપેલી સલાહ વિશે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 4 | File Type: audio/mpeg | Duration: 00:19:09

વસુદેવજી ના પાછા આવતા જ કારાગારના બધા દ્વાર બંધ થઈ જાય છે. ત્યારબાદ કંસને સૂચના મળે છે કે દેવકીના આઠમા પૂત્ર નું આગમન થઇ ચૂક્યું છે. કંસ એ પુત્રીને દેવકી પાસેથી ઝૂંટવી લઇને તેને પથરા પર પછાડે છે. તે સમયે બાળકમાંથી શ્રી દેવી પ્રગટ થઈને કંસને એ જણાવે છે કે તારા મૃત્યુ નો આધાર એવો બાળક બીજા કોઈ સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે. કંસ આ સાંભળીને પોતે આપેલી પીડા માટે અને વસુદેવ અને દેવકી ને કરેલા અન્યાય માટે માફી માગે છે. પણ જ્યારે તે પોતાના મંત્રીઓને મળે છે ત્યારે તે મંત્રીઓ એને બ્રાહ્મણો અને બાળકોનો સંહાર કરવા માટેની સલાહ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 3 Part 2 | File Type: audio/mpeg | Duration: 00:19:50

વસુદેવજી ની સ્તુતિ સાંભળ્યા બાદ માતા દેવકી પણ ભગવાન શ્રીકૃષ્ણની ખુબ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ સાંભળ્યા બાદ ભગવાન પિતા વસુદેવ અને માતા દેવકીને એમના પૂર્વજન્મ, અને પોતાના આપેલા વરદાન વિશેની જાણ કરે છે .ત્યારબાદ વસુદેવજી ભગવાન શ્રીકૃષ્ણને છાબડીમાં મૂકીને યમુના પાર નંદ ગામમાં સુતેલા માતા યશોદા પાસે મૂકી આવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 3 Part 1 | File Type: audio/mpeg | Duration: 00:20:00

આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય વિશે ની વાત કરીશું. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે, દેવકીના ગર્ભમાંથી, ત્યારે રોહીણી નક્ષત્ર હતું અને જગત સૌમ્ય થઈ જાય છે. વસુદેવજી આ અદભુત બાળકને જોઈને ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 2 | File Type: audio/mpeg | Duration: 00:24:58

દેવકી ના સાતમા પુત્ર તરીકે શેષજી પધારે છે. ભગવાનશ્રી વિષ્ણુની આજ્ઞાથી યોગમાયા આ બાળકને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી રહ્યા દે છે. જ્યારે બધા દેવતાઓને ખ્યાલ આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુ હવે દેવકીની કોખમાં સ્થાપિત થયા છે, ત્યારે તેઓ કારાવાસમાં આવીને ભગવાન વિષ્ણુની ખુબ સુંદર સ્તુતિ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 10 Adhyay 1 | File Type: audio/mpeg | Duration: 00:28:56

દસમા સ્કંધના પહેલા અધ્યાયમાં આપણે પૃથ્વી ના દુખ વિશે સાંભળીશું અને ત્યારબાદ ભગવાને આપેલું આશ્વાસન જાણીશું. આ અધ્યાયમાં આપણે વસુદેવ અને દેવકી ના લગ્ન અને તે સમયે કંસનું સારથી બનવું અને આકાશવાણી દ્વારા કંસ વધ ની વાત જાણીશું. વસુદેવજી ના સમજાવવા પછી પણ કંસ દેવકી અને વાસુદેવને કાળ કોટડીમાં પૂરી રહેશે અને તેમના છ પુત્રોની હત્યા કરે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 9 Adhyay 24 | File Type: audio/mpeg | Duration: 00:22:50

નવમાં સ્કંધના આ છેલ્લા અધ્યાયમાં આપણે વિધર્ભના વંશ  વિષે જાણીશું. આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિષેની કથાનો પ્રારંભ પણ કરીશું.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 9 Adhyay 23 | File Type: audio/mpeg | Duration: 00:14:41

આજના અધ્યાયમાં આપણે અનુ, દ્રુહુ, તુર્વસુ અને યદુવંશના રાજાઓ વિષે જાણીશું.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 9 Adhyay 22 | File Type: audio/mpeg | Duration: 00:20:04

આજના અધ્યાયમાં આપણેપાંચાલવંશ, કૌરવવંશ, અને મગધદેશના રાજાઓ વિષે જાણીશું. આ અધ્યાયથી આપણે દશમાં સ્કંધની પૂર્વભૂમિકા બાંધવાની શરૂઆત કરીશું.   --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 9 Adhyay 21 | File Type: audio/mpeg | Duration: 00:20:50

ભરતવંશની કથાને આગળ વધારતા આજે આપણે રાજા રંતિદેવના જીવનચરિત્ર વિષે જાણીશું. રાજા રંતિદેવ આપણને સહિષ્ણુતાનો પાઠ શીખવે છે.  --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 9 Adhyay 20 | File Type: audio/mpeg | Duration: 00:17:51

આજના અધ્યાયમાં આપણે પૂરું વંશનું વર્ણન સાંભળીશું. ખાસ કરીને આપણે રાજા દુષ્યંત અને શકુંતલા ની કથા, તથા તેમના પુત્ર રાજા ભરત ના પરાક્રમો ની કથા સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 9 Adhyay 19 | File Type: audio/mpeg | Duration: 00:18:11

હજાર વર્ષ સુધી ભોગવિલાસમાં રચ્યાપચ્ચા રહ્યા પછી રાજા યયાતિ ને આત્મઅવસ્થાનું ભાન થાય છે. તેઓ એક બકરાના રૂપક થી પોતાની પત્ની દેવયાનીને તેમના મનની સ્થિતિ સમજાવે છે. અને ત્યારબાદ પોતાના પુત્રને પૂરુંને રાજગાદી સોંપીને વનમાં ચાલ્યા જાય છે. યયાતિનો ગૃહ ત્યાગ જોઈને દેવયાની પોતે પણ પ્રભુમાં પોતાની જાતને સ્થાપિત કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 9 Adhyay 18 | File Type: audio/mpeg | Duration: 00:22:23

નહુષ વંશની કથા સાંભળતા, આપણે આ અધ્યાયમાં, રાજા યયાતિ અને તેમના વિષય ભોગવિલાસ ની કથા સાંભળીશું. રાજા યયાતિ ક્ષત્રિય હોવા છતાં પણ તેમના લગ્ન બ્રાહ્મણ કન્યા દેવયાની, જે શુક્રાચાર્યના પુત્રી હતા, તેમની સાથે થયા. તેઓ ખૂબ વિષ ભોગી હતા, અને જ્યારે વૃદ્ધાવસ્થાનો શાપ મળ્યો ત્યારે તેઓ પોતાના પુત્ર પાસે યૌવનની ભીખ માંગી બેઠા. તેમના ચાર પુત્રોએ યૌવનની આપ-લે કરવાની ના કહી, પણ સૌથી નાના એવા પૂરુંએ સંમતિ આપી. આમ હજાર વર્ષ સુધી ભોગો ભોગવ્યા બાદ પણ રાજા યયાતિને તૃપ્તિ  થઈ નહીં. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

 Bhagvat Puran Skandh 9 Adhyay 17 | File Type: audio/mpeg | Duration: 00:12:16

આજના અધ્યાયમાં આપણે ક્ષત્રવૃદ્ધ અને રજી વગેરે રાજાઓના વંશનું વર્ણન સાંભળીશું. એ દરમિયાન આપણે શૌનકજી, ધનવંતરી અને બીજા કેટલાક એવા મહાપુરુષો અને મહાન રાજાઓ ની વાત સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message

Comments

Login or signup comment.