Summary: <p>યમદૂતો ની વાત સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુના પાર્ષદ એ દૂતોને ધર્મ અને ભગવાન ના નામસ્મરણમાં રહેલી શક્તિ સમજાવે છે. શાસ્ત્રો અને વેદોનું સ્મરણ કરાવીને તે પાર્ષદો, યમદૂતોને અજામિલ ના પ્રાણ લીધા વિના જ પાછા યમરાજ પાસે મોકલે છે. અજામિલ નો આત્મા આ ઘટનાને નિહાળી ને પોતે મનુષ્ય જન્મમાં રહીને કરેલી ખોટા કર્મોની વાતોને યાદ કરે છે અને નારાયણનું નામ લેતા પ્રાયશ્ચિત કરે છે. એને પ્રાયશ્ચિત કરતો જોઈ ભગવાનના પાર્ષદો એને વૈકુંઠલોક લઈ જાય છે</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message