Summary: <p>જ્યારે વૃત્રાસુરે જોયું કે તેની સેના વજ્રના ભયથી ચારે તરફ ભાગી રહી છે ત્યારે તેણે ઈન્દ્રની સામે જઈ અને યુદ્ધ નો લલકાર કર્યો. ઇન્દ્રએ વૃત્રાસુર પર ગદાનો પ્રહાર કર્યો ત્યારે તેણે એક ગદાને રોકી અને એ જ ગદા દ્વારા ઇન્દ્રના હાથી ઐરાવત પર વાર કર્યો. ઐરાવત મૂર્છિત થઈ ગયો અને ઇન્દ્ર પોતે ભાન ગુમાવી બેઠા ત્યારે વૃત્રાસુરે એક શુરવીર ની જેમ તેમના પર કોઈ પણ પ્રકારનો પ્રહાર કર્યો નહીં. ઇન્દ્ર જ્યારે ફરીવાર ભાનમાં આવ્યા અને ઐરાવત પર સવાર થયા અને યુદ્ધ કરવા લાગ્યા. આ યુદ્ધમાં વૃત્રાસુર વીરગતિને પ્રાપ્ત થયો. પોતે મૃત્યુની નજીક છે આવી જાણ થતાં વૃત્રાસુરે ભગવાનની ખુબ સુંદર સ્તુતિ કરી અને ભગવદ્ ભક્તિ પ્રાપ્ત કરી.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message