Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
- Visit Website
- RSS
- Artist: Paurav Shukla
- Copyright: Paurav Shukla
Podcasts:
બ્રહ્માજી સાથે બીજા દેવતાઓ આવી અને ભગવાનને હવે વૈકુંઠધામ પધારવા માટે વિનંતી કરે છે. ભગવાન તેમને જણાવે છે કે એકવાર યાદવ વંશનો અંત આવી જાય ત્યાર પછી તેઓ પાછા પધારશે. યાદવો પાસેથી ભગવાનની સાથે પ્રભાસ ક્ષેત્રમાં જવાની વાત સાંભળીને ઉદ્ધવજી મર્મની વાત સમજી જાય છે અને ભગવાન પાસે આવીને પ્રાર્થના કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
નીમીરાજા નો પ્રશ્ન કે ભક્તિ હીન મનુષ્ય ની ગતિ કેવી થાય છે, તેના વિશે આઠમા યોગીશ્વર શ્રી ચમસજી ખુબ સુંદર વાત કરે છે. ત્યારબાદ ની રાજા પૂછે છે કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી. તેના જવાબમાં નાવમાં યોગીશ્વર શ્રી કરભાનજી ખુબ સુંદર રીતે દરેક યુગમાં ભગવાનની ભક્તિ કઈ રીતે થાય તેની છણાવટ કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
નીમીરાજાના પ્રશ્નના જવાબમાં યોગીશ્વર શ્રી દ્રુમિલજી આજના અધ્યાયમાં આપણને ભગવાન ના જુદા જુદા અવતારોનું વર્ણન સંક્ષેપમાં સંભળાવી રહ્યા છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
નીમીરાજાએ પ્રશ્ન કર્યો છે કે ભગવાનનું બ્રહ્મસ્વરૂપ શું છે અને કર્મયોગ દ્વારા ભગવાન એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના જવાબમાં યોગીશ્વર શ્રી પિપ્પલાયનજી અને આવીહોત્રજીએ બહુ સુંદર રીતે આપણને ભગવાનનું બ્રહ્મસ્વરૂપ અને કર્મયોગની છણાવટ કરી છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે નિમિરાજા એ કરેલો પ્રશ્ન કે માયાનું સ્વરૂપ શું છે અને માયાથી પાર કેવી રીતે ઉતારી શકાય તેનો જવાબ યોગીશ્વર શ્રી અંતરીક્ષજી અને શ્રી પ્રબુદ્ધજીની વાણીમાં સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
રાજા નીમી યોગીશ્વરો ને પ્રશ્ન કરે છે કે ભગવત ભક્તિનું સરળ સાધન કયું છે અને ભગવદ ભક્ત ને ઓળખવો કઇ રીતે. તેના વિશે યોગીશ્વરો ખૂબ જ સુંદર સમજણ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ભગવાન શ્રીકૃષ્ણની હાજરી હોવાથી દેવર્ષિ નારદજી વારંવાર દ્વારકા પધારે છે. એવા એક સમયે વસુદેવજી તેમને ભાગવત જ્ઞાન વિશે પ્રશ્ન કરે છે. તેના જવાબમાં નારદજી તેમને નીમી રાજા અને યોગીશ્વરો વચ્ચેના સંવાદની વાત કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
અગિયારમાં સ્કંધના પહેલા અધ્યાયમાં યાદવોને ઋષિઓએ શાપ કેમ આપ્યો તેના વિશેની વાત આપણે જાણીશું. બીજા બધા શત્રુઓનો નાશ થતા યાદવો હવે ખૂબ શક્તિશાળી થઈ ગયા છે અને તેથી તેમનામાં ખૂબ ઉદંડતા વ્યાપી ગઈ છે. ભગવાન આનાથી ખૂબ ચિંતિત છે અને યાદવ વંશ નો સર્વનાશ કરવાનો વિચાર કરી રહ્યા છે. તે તરફ ની ગતિ વિશે આપણે આજે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન આગળ ધપાવીશું. આપણે યાદવોમાં આવી રહેલી ઉદંડતા જોઈને ભગવાનનો યાદવવંશનો વિનાશ તરફનો સંકેત પણ જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન સાંભળીશું. આપણે ભગવાન શ્રીકૃષ્ણની રાણીઓમાં વિરહની વેદના વિષે પણ સાંભળીશું. ભગવાન ની રાણીઓ જ્યારે ભગવાન તેમની પાસે નથી ત્યારે વિરહમાં પક્ષીઓને, વૃક્ષોને, પર્વતોને ,અને નદીઓને પૂછે છે કે તમને પણ અમારા જેવી વેદના થાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને કેવી રીતે એક બ્રાહ્મણના મૃત્યુ પામેલા બાળકોને પાછા પૃથ્વી પર લાવ્યા તેની કથા સાંભળવી છે. આ કથામાં આપણે ભગવાન વિષ્ણુ દ્વારા પોતાની જાતને હવે પૃથ્વી પરથી પાછા વૈકુંઠ લોકમાં લાવવાની વાત પણ સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ઋષિઓમાં વાદ-વિવાદ થયો છે કે બ્રહ્મા, વિષ્ણ અને મહેશમાં સૌથી મોટું કોણ. આથી ત્રણેયની પરીક્ષા લેવા માટે તેઓ ભૃગુઋષિને મોકલે છે. તે કસોટીની વાત અને ઋષિઓના નિર્ણય વિષે આપણે આજના અધ્યાયમાં જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જણાવે છે કે તેમનામાં, શિવજીમાં એન્ડ બ્રહ્માજીમાં વરદાન આપવાનો ભેદ શો છે. શુકદેવજી પરીક્ષિતને વૃકાસુરની કથા સંભળાવે છે જેમાં ભગવાન શંકર વરદાન આપીને પોતે જ કષ્ટમાં મુકાઈ જાય છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેમ ભોગ અને માયામાં અટવાઈને પરમાત્મા તરફની પોતાની ગતિમાંથી ચલિત થઇ જાય છે તેના વિષે જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેવી રીતે પરબ્રહ્મને પામી શકે તેના વિષે શ્રુતિઓએ કરેલ વ્યાખ્યાન સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message