Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat
Summary: This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Do subscribe to get weekly updates. Reach out to me at pauravshukla at gmail.com
- Visit Website
- RSS
- Artist: Paurav Shukla
- Copyright: Paurav Shukla
Podcasts:
ભગવાને જ્યારે કહ્યું કે ગુણદોષો પર દ્રષ્ટિ ન જવી એ જ સૌથી મોટો ગુણ છે, તે સંબંધમાં ઉદ્ધવજી વધારે વિશ્લેષણની વિનંતી કરે છે. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનયોગ, કર્મયોગ, અને ભક્તિયોગ વિશેની ખુબ સુંદર છણાવટ કરે છે, અને ઉદ્ધવજીને જણાવે છે કે કયા પ્રકારની વ્યક્તિ કયા યોગમાં સ્થાપિત થાય છે અને કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ઉદ્ધવજી ના પ્રશ્નો ના જવાબ માં ભગવાન શ્રી કૃષ્ણ તેમને જ્ઞાન, ભક્તિ, અને યમ નિયમ વગેરે સાધનોનું વર્ણન કરે છે, તે સુંદર વર્ણન આજના અધ્યાયમાં આપણે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
વર્ણાશ્રમ ધર્મના નિરૂપણને આગળ વધારતા આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસ આશ્રમ વિષયની છણાવટ સાંભળીશું. દરેક વર્ણાશ્રમ ભગવદ પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેના વિશેનું અદભુત જ્ઞાન આજે આપણને મળશે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણે કરેલું વર્ણાશ્રમ ધર્મ નું નિરૂપણ સાંભળીશું. ખાસ કરી આપણે બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ વિશેની છણાવટ સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
જેમ ભગવત ગીતામાં ભગવાને અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું, તે જ રીતે ભગવાન ઉદ્ધવજીને આ અધ્યાયમાં પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કરે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે જ્યારે સાધક પોતાનું ચિત ભગવાન તરફ વળે છે ત્યારે અનેક સિધ્ધિઓ તેની સમક્ષ ઉપસ્થિતઃ થઈ જાય છે. આ ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ, તેમના લક્ષણ, અને તેમની પ્રાપ્તિ કઈ રીતે થાય છે એના વિશે ભગવાન આ અધ્યાયમાં ઉદ્ધવજીને જણાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને સમજાવેલ ભક્તિયોગ નો મહિમા અને ભગવાનનું ધ્યાન કેમ કરવું તેની વિધિ નું વર્ણન સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
સનકાદિ ઋષિઓએ પોતાના પિતા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે કે ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઇ અને એમાં ઘૂસી જાય છે અને તે વિષયોનું વારંવાર ચિંતન કરે છે અને સાથે સાથે ભવસાગર પાર કરવા પણ ઇચ્છે છે તો આ જે દ્વિધાથી પાર ઉતરવાનો કયો ઉપાય છે. ભગવાન બ્રહ્માજી પાસે આનો જવાબ નથી અને ત્યારે બ્રહ્માજી ની સામે હંસરૂપે પ્રગટ થઈને શ્રી હરિ તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આ અધ્યાયમાં આપણે સત્સંગનો મહિમા અને કર્મ તથા કર્મ ત્યાગની વિધિ વિષે સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આ અધ્યાયમાં આપણે બદ્ધ અને મુક્ત મનુષ્યના લક્ષણ વિષે સાંભળીશું. આપણે ભગવાનનો ભક્ત કેવો હોય તેના વિષે પણ જાણીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ લૌકિક અને પારલૌકિક ભોગનું નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આ લોક ની જેમ પરલોક પણ દોષ યુક્ત છે. કારણકે, ત્યાં પણ જ્યારે પુણ્યની સમાપ્તિ થાય છે ત્યારે મનુષ્ય ને પાછો હાંકી કાઢવામાં આવે છે. અને એટલા માટે આત્મા ની સત્તાને સમજવાની જરૂર છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
અવધૂત દત્તાત્રેય ટીટોડી થી માંડીને ભમરી સુધી સાત ગુરુની કથા આ અધ્યાયમાં બહુ સુંદર રીતે વર્ણવે છે. ખાસ કરીને તેઓ વૈરાગ્ય વિષયનું જ્ઞાન પોતાના દેહમાંથી કેવી રીતે મળે છે તેના વિશે પણ જણાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સમગ્ર આસક્તિઓનો પરિત્યાગ કરી ને સમદર્શી થઈ જવાની આજ્ઞા આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
અવધૂત દત્તાત્રેયજી અજગર થી માંડીને પિંગળા સુધીના નાવ ગુરુઓની કથા સંભળાવી ને યદુરાજને તેમનો મર્મ સમજાવે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
આજના અધ્યાયમાં આપણે યદુરાજ અને અવધૂત દત્તાત્રેય વચ્ચેનો સંવાદ સાંભળવો છે. એમના દ્વારા આપણે તેમને જુદા-જુદા ગુરુઓ પાસેથી કેવી સમજણ મેળવી છે એના વિશેની વાત જાણીશું. આ ઉપરાંત આપણે કબૂતરોની બહુ સુંદર એન્ડ મર્મથી ભરપૂર કથા સાંભળીશું. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message
જ્યારે ઉદ્ધવજી ભગવાનને નહીં જવાની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન તેમને ખુબ સુંદર એવો ત્યાગ અને સંન્યાસ નો ઉપદેશ આપે છે. આ ઉપદેશને ઉદ્ધવજી ભગવાન પાસે સરળ શબ્દોમાં જણાવવાની માંગણી કરે છે. જેના જવાબમાં ભગવાન કલ્યાણમાર્ગનો ઉપદેશ આપે છે. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message