Summary: <p>રાજા મુચુકુન્દ પર અનુગ્રહ કરીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પાછા પહોંચ્યા અને કાલયવનની સેનાનો સંહાર કર્યો. ત્યારબાદ જ્યારે તેઓ દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે જરાસંધએ ૧૮મી વાર તેમની પર આક્રમણ કર્યું. શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાંથી ભાગી છુટ્યા અને દ્વારિકા પહોંચ્યા. થોડા દિવસોમાં ભીષ્મકનંદિની રુક્મિણીજીએ બ્રાહ્મણ દેવતા દ્વારા શ્રીકૃષ્ણને પોતાનો સંદેશો મોકલ્યો. રુક્મિણીજીએ કહ્યું કે મેં તમને મન થી જ પતિ માની લીધા છે અને તમે મારું હરણ કરી અને મને અપનાવી લો.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message