Summary: <p>ગ્રાહના સંકજામાં ફસાયેલો ગજેન્દ્ર શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. જ્યારે આ સ્તુતિ સાંભળીને બીજા દેવતાઓ તેની મદદે આવતા નથી ત્યારે શ્રી હરિ ખુદ ગજેન્દ્રની મદદે આવી જાય છે. એમને પ્રગટ થયેલા જોઈને ગજેન્દ્ર હર્ષિત થઈ જાય છે અને સરોવરમાંથી પોતાની સૂંઢ નો ઉપયોગ કરીને એક કમળ ભગવાનને અર્પિત કરે છે. ત્યારબાદ તેની પર પ્રસન્ન થયેલા ભગવાન, ગ્રાહ અને ગજેન્દ્ર બેયને જળમાંથી બહાર ખેંચી લાવી અને સુદર્શન ચક્ર દ્વારા ગજેન્દ્રને મુક્ત કરે છે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message