Summary: <p>આ અધ્યાયની શરૂઆત માં આપણે પહેલાં પાંચમાં અને છઠ્ઠા મનુ વિશેની વાત સાંભળીશું. આ આધ્યાય માં ભગવાન અજીત જે કે શ્રી હરિનું જ સ્વરૂપ છે તેમના વિશે જાણીશું. રાજા પરીક્ષિતે પ્રશ્ન કરયો છે કે ક્ષીરસાગર નું મંથન કેવી રીતે થયું અને ભગવાને કચ્છપ નું રૂપ કેમ ધારણ કર્યું. તેના જવાબમાં શુકદેવજી દેવો અને દૈત્યો વચ્ચેના યુદ્ધ અને પરાજિત દેવોના બ્રહ્માજી પાસે જવાની વાત કરે છે. બ્રહ્માજી ત્યારબાદ દેવોને વૈકુંઠ લોકો પાસે લઈ જાય છે પણ ત્યાં તેમને કાંઈ પણ દેખાતું નથી તેથી તેઓ શ્રી હરિની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે જે સ્તુતિ પણ આપણે આ અધ્યાયમાં સાંભળીશું.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message