Summary: <p>બ્રહ્માજીની ઉત્તમ સ્તુતિ સાંભળીને શ્રીહરિ પ્રગટ થાય છે અને પછી દેવોને દાનવો સાથે સંધિ નો ઉપદેશ આપે છે. તેઓ દેવોને જણાવે છે કે દાનવો સાથે મળી અને તેઓ અમૃત પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કરે. આના માટે મંદરાચલ પર્વતને રવૈયો બનાવો પડશે અને વાસુકી નાગને નેતરું બનાવવું પડશે. દેવો જ્યારે દાનવો પાસે આ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દાનવો એનો સ્વીકાર કરે છે અને સંધિ થતાં તેઓ મંદરાચળ પર્વત ઊંચકવાનો પ્રયત્ન કરે છે. જેમાં તેમને અસફળતા મળે છે ત્યારે શ્રી હરિ પોતેજ ગરુડ પર મંદરાચળ પર્વતને ઊંચકીને તેને ક્ષીરસાગર ની પાસે લઈ આવે છે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message