Bhagvat Puran Skandh 7 Adhyay 2




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ થઈ જવાથી હિરણ્યકશ્યપુ પ્રથમ તો ખૂબ ક્રોધિત થઈ જાય છે. તે પોતાના સભાસદ દૈત્યો અને દાનવોને પૃથ્વી પર જઈને લોકોને આતંકિત કરવાની આજ્ઞા આપે છે. દૈત્યો તેની તે આજ્ઞા નું પાલન કરે છે અને સૃષ્ટિ પર ખૂબ આતંક મચી જાય છે . જ્યારે પોતાના ભાઈની અંત્યેષ્ટિ ક્રિયા માટે બધા ભેગા થાય છે ત્યારે તેમના શોકને જોઈને હિરણ્યકશ્યપુ તત્વજ્ઞાનનો ખુબ સુંદર એવો ઉપદેશ આપે છે. તેના એ ઉપદેશમાં તે રાજા સુહૃદની વાર્તા દ્વારા બધાને આત્મા અને શરીર વચ્ચે નો ભેદ સમજાવે છે. તે વાર્તામાં યમરાજ પોતે પ્રજાજનોને ઉપદેશ આપે છે અને તે ઉપદેશ દ્વારા બધાની અંદર અજ્ઞાનનો નાશ થાય છે અને બધા હિરણ્યાક્ષ ના મોહમાંથી મુક્ત થાય છે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message