Summary: <p>પોતાના શક્તિશાળી ભાઈ હિરણ્યાક્ષ ની હત્યા થયા બાદ હિરણ્યકશ્યપુને થાય છે કે એ પોતે અજર અમર બની જાય. તે માટે તે બ્રહ્માજીની ઉપાસના કરવા માંડે છે. તેની ઉપાસના ના તપથી અને તાપથી સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ ના દેવતાઓ પણ ત્રાહિત થઈ જાય છે. તે બધા બ્રહ્માજી પાસે જઈ અને હિરણ્ય કશ્યપને સમજાવવાની વાત કરે છે. બ્રહ્માજી જ્યારે હિરણ્યકશ્યપુ પાસે જાય છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ અને તપની ભાવના ને જોઈને બ્રહ્માજી તેને વરદાન માંગવા ની આજ્ઞા કરે છે. આ સાંભળીને હિરણ્યકશ્યપુ તેમની પાસે એવા પ્રકારનું વરદાન માંગે છે કે જેનાથી એ બીજો બ્રહ્મા જેવો બની જાય.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message