Summary: <p>પોતાને અભયપદ નું વરદાન મળ્યા બાદ હિરણ્યકશ્યપુ મદથી છકી જાય છે અને ત્રણે લોક નો વિજય પ્રાપ્ત કરે છે. તે હવે ઇન્દ્રના નિવાસસ્થાનમાં જ રહે છે અને બીજા બધાં ભયના લીધે તેને માન આપી રહ્યા છે. હિરણ્યકશ્યપુના ત્રાસથી બધા દેવો ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારે આકાશવાણી દ્વારા ભગવાન તેમને જણાવે છે કે જ્યારે હિરણ્યકશ્યપુ પોતાના પુત્ર પ્રહલાદનો વધ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે ભગવાન ખુદ હિરણ્યકશ્યપુનો નાશ કરશે. આ જાણીને યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે શુદ્ધ હૃદયના પ્રહલાદજી સાથે તેમના પિતા હિરણ્યકશ્યપુને દ્વેષ કેવી રીતે હોઈ શકે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message