Summary: <p>આ અધ્યાયમાં આપણે ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન સાંભળીશું. દરેક ખંડમાં ભગવાનના એક જુદા સ્વરૂપની સ્તુતિ કરવામાં આવી છે. જેમકે ભદ્રાશ્વ ખંડમાં ભગવાન વાસુદેવ ની હયગ્રીવ નામની ધર્મપ્રિય મૂર્તિને પૂજવામાં આવે છે. તેવી જ રીતે હરિખંડમાં ભગવાન નરસિંહ રૂપે પૂજવામાં આવે છે. કેતુમાલ દેશમાં લક્ષ્મીજી, સંવત્સર નામના પ્રજાપતિ ના પુત્ર અને પુત્રીની સાથે ભગવાનની પૂજા કરે છે. રમ્યક ખંડમાં મત્સ્યરૂપની સ્તુતિ થાય છે. હીરાયણમય ખંડમાં ભગવાન કચ્છપ રૂપ ધારણ કરીને રહે છે અને ઉત્તરકુરુ ખંડમાં યજ્ઞપુરુષ વરાહનું રૂપ ધારણ કરે છે. </p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message