Summary: <p>આ અધ્યાયથી આપણે મહારાજ ભરતના ચરિત્ર તરફ વળી રહ્યા છીએ. મહારાજ ભરત બહુવિધ હતા અને સક્ષમ રાજા હતા. તેઓએ શાસ્ત્ર વિધિપૂર્વક ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું અને ત્યાર બાદ પોતાના પુત્રોને યથાયોગ્ય સંપતિ અને રાજ્ય સોંપી અને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો. રાજા ભરત આપણને કોઈ એક અગ્રણી કે નેતાએ ક્યારે રાજ્ય ત્યાગ કરવો એની ખૂબ સુંદર સમજણ આપે છે. રાજા ભરત ત્યારબાદ પુલહાશ્રમ મા રહેવા લાગ્યા અને નિષ્ઠાથી ભગવદ્ ભક્તિ માં રચ્યાપચ્યા રહેતા હતા. એમ કરવાથી તેમનામાં પરમ આનંદ છલોછલ ભરાઈ આવ્યો.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message